ચા-કોફી અને મસાલા સેક્ટર સાથે જોડાયેલા કાયદાઓ મોદી સરકાર હને બદલવા જઈ રહી છે. જેમા નવાા કાયદાઓથી આ ત્રણેય સેક્ટરમાં તેજી આવશે.
મોદી સરકાર ચા-કોફી અને મસાલાના કાયદાઓ બદલશે
નવા કાયદા દરેક સેક્ટરમાં ફાયદો લાવે તેવા
અંગ્રેજોના સમયમાં બનેલા કાયદા હવે મોદી સરકાર બદલશે
મોદી સરકાર ચા કોફી અને મસાલાઓ સાથે જોડાયેલા અમુક કાયદાઓને પૂરી રીતે સમાપ્ત કરવાનો વિચાર કરી રહી છે. સરકાર આ કાયદાઓની જગ્યાએ અમુક નવા કાયદાઓ લાવવા ઈચ્છે છે. જે નવા કાયદાઓ સરકાર લાવશે તે ચા, કોફી અને મસાલા સેક્ટરમાં ગ્રોથ આવે તે રીતે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
સ્ટેકહોલ્ડર્સ 9 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપશે
કોમર્સ મિનિસ્ટ્રીએ પ્રમોશન એંડ ડેવલપમેન્ટ બિલ 2022, રબર બિલ 2022, કોફિ બિલ 2022, ટી બિલ 2022ના ડ્રાફ્ટ સ્ટેક હોસ્ડર્સ પાસેથી વિચાર માગ્યા છે. જેથી આ સ્ટેકહોલ્ડર્સ પણ આ ચાર બિલના ડ્રાફ્ટ પર 9 ફેબ્રુઆરી સુધી તેમા વિચારો કરી શકે છે.
કુલ 3 કાયદાઓ થશે રદ
કોમર્સ મિનિસ્ટ્રીએ ચાર અલગ અલગ કાર્યલાયમાં કહ્યું કે તેઓ ટી-એક્ટ 1953, સ્પાઈસેજ બોર્ડ એક્ટ-1986, રબર એક્ટ-1947 અને કોફી એક્ટ-1942ને રદ કરવાનો પ્રસ્તાવ મુકી રહી છે. મિનિસ્ટ્રીની વેબસાઈટ પર નાખવામાં આવેલ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાઓને રદ કરવા અને નવા કાયદાઓ લાવવાનો પ્રસ્તાવ હાલની પરિસ્થિતી પ્રમાણે જે જરૂરિયાત છે તેના ઉદ્દેશોને અનુરૂપ છે.
ક્વોલિટીમાં નવા કાયદાથી સુધારો આવશે
ખાસ કરીને ટી એક્ટને રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલના દશકમાં ચા પ્રોડક્શન માર્કેટિંગ અને કંજમશનની રીતમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે જૂના કાયદાને પણ બદલાની જરૂર છે. જેમા પ્રોડ્કશનને સપોર્ટ કરવા, ક્વોલિટીમાં સુધારો લાવવા . ચા ઉત્પાદકોની સ્કીલને વિકસિત કરવા અને ચાના પ્રમોશન માટે નવા કાયદાની જરૂર છે.
સપ્લાય ચેન હવે મજબૂત થશે
ઉલ્લેખનીય છે કે સ્પાઈસેજ બિલ 2022ના ડ્રાફ્ટ અનુસાર મસાલા બોર્ડને પૂરા સ્પાલય ચેન પર ધ્યાન કેન્દ્રિત કરવા અને તેને સક્ષમ બનાવાની જરૂર છે. એજ રીતે રબર કાયદામાં પણ કહેવામાં આવ્યું છે. હાલ રબર સાથે જોડાયેલા સેક્ટર્સમાં ઈન્ડસ્ટ્રિયલ અને ઈકોનોમિક આઉટલુકમાં વ્યાપક બદલાવ થયો છે. તેમજ કોફી બિલ 2022નો હાલનો કાયદો આજે ઘણા ઓછા પ્રમાણમાં પ્રભાવી છે જેથી તેમા પણ બદલાવની જરૂર છે.