યુક્રેનમાં રશિયાના હુમલામાં ભારતીય વિદ્યાર્થીના મોત બાદ મોદી સરકાર એક્શનમાં આવી છે.
યુક્રેનમાં રશિયાના હુમલામાં પહેલા ભારતીયનું મોત
એક્શનમાં આવી કેન્દ્ર સરકાર
વિદેશ સચિવે રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે કરી વાત
ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું
યુક્રેનના ખારકીવમાં રશિયાના હુમલામાં કર્ણાટકના વિદ્યાર્થી નવીનનું મોત થતા મોદી સરકારે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી છે. આ ઘટના બાદ ભારતીય વિદેશ મંત્રાલયે ત્વરિત કાર્યવાહી કરી છે. ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રુંગલાએ રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરીને તેમને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું જણાવ્યું હતું. ભારતે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને બીજા કોઈ ભારતીયોનો જાન ન જાય તે માટે બન્ને દેશોના રાજદૂતોને આગ્રહ કર્યો છે.
We had already taken up the matter with the Russian and Ukrainian Embassies the pressing requirement of safe passage for Indian nationals, including students, from Kharkiv and other cities in conflict zones: Sources
This demand has been repeatedly made of Russia and Ukraine since the beginning of this conflict on February 24. It has been conveyed to both their Ambassadors in New Delhi as well as taken up in their capitals: Sources
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરવિંદ બાગચીએ ટ્વિટ કરીને જણાવ્યું કે વિદેશ સચિવે રશિયા અને યુક્રેનના રાજદૂત સાથે વાત કરી છે અને ખારકીવ તથા બીજા અશાંત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પૂરતી સુરક્ષા આપીને તેમને તત્કાળ બહાર કાઢવાની માગ ઉઠાવી હતી. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનમાં ભારતના રાજદૂતો દ્વારા પણ આવા પગલાં ભરાઈ રહ્યાં છે.
Foreign Secretary is calling in Ambassadors of Russia and Ukraine to reiterate our demand for urgent safe passage for Indian nationals who are still in Kharkiv and cities in other conflict zones.
Similar action is also being undertaken by our Ambassadors in Russia and Ukraine.
ખારકીવમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થીનું મોત
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે એક મોટી માઠી ખબર આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યું કે ખુબ દુખની વાત છે કે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે યુક્રેનના ખરકીવમાં રશિયાના તોપમારામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. મંત્રાલય મૃતક વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે.