દેશ હાલમાં કોરોના મહામારીથી પીડાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આ સમયે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોરોના રસીનો ખર્ચ કેટલો થશે અને મોદી સરકાર આ માટે શું તૈયારી કરી રહી છે? જો કે આ સમગ્ર બાબતથી અવગત એક સૂત્રે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સમગ્ર દેશના રસીકરણ માટે 50 હજાર કરોડ રૂપિયાની અલગથી વ્યવસ્થા કરી છે.
મોદી સરકારે રસીકરણ માટે ફંડની વ્યવસ્થા કરી: રિપોર્ટ
લગભગ 50 હજાર કરોડ રૂપિયા સુધીનું હશે ભંડોળ : સૂત્ર
નામ જાહેર ન કરવાની શરતે સૂત્રે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વહીવટીતંત્ર દ્વારા અનુમાન લગાવ્યું છે કે દેશની 130 કરોડની વસ્તી માટે પ્રતિ વ્યક્તિ 6 - 7 યુએસ ડોલર એટલે કે ૪૨૦થી ૪૯૦ રૂપિયા સુધીનો ખર્ચ થશે.
કોઈ આધિકારિક પ્રતિક્રિયા આવી નથી
તેમણે કહ્યું કે આ નાણાંની 31 માર્ચના રોજ પૂરા થતાં વર્તમાન નાણાકીય વર્ષ માટે જોગવાઈ કરવામાં આવી છે અને આ હેતુ માટે ફંડની કોઈ અછત રહેશે નહીં.આ મામલે જો કે આધિકારિક રૂપે હજુ સરકાર દ્વારા કે તેના કોઈ વિભાગ દ્વારા કશી પ્રતિક્રિયા પાવામાં આવી નથી.
અદર પૂનાવાલાએ 80 હજાર કરોડનો અંદાજ બાંધ્યો
વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડીયા ના CEO અદર પૂનાવાલાએ અંદાજ મૂક્યો હતો કે દેશમાં દરેક ક્ષેત્રમાં પૂરી રીતે રસી પહોંચાડવા માટે કુલ 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે , દવાની ખરીદીથી લઈને તેને ટ્રાન્સપોર્ટ કરવા સુધીની બાબતો પર ખૂબ જ મોટી માત્રામાં ખર્ચ કરવો પડશે.
બુધવારે એક વેબિનાર દરમિયાન, ચંદીગઢમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના એસોસિયેટ પ્રોફેસર મહેશ દેવનાનીએ જણાવ્યું હતું કે ભારતભરમાં કોરોના રસી નું વિતરણ એક ખૂબ જ મોટું કામ હશે, તેમણે કહ્યું, "આપણે એક એડવાન્સ યોજનાની જરૂર છે, શરૂઆતમાં તે દરેક વ્યક્તિને નહિ આપી શકાય"
"કોલ્ડ ચેઈન લોજીસ્ટીક્સ વિકસાવવી ભારત માટે મોટો પડકાર": કિરણ મજુમદાર શો
ગયા અઠવાડિયે બ્લૂમબર્ગ ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ પર, બાયોકોન લિમિટેડના અધ્યક્ષ કિરણ મઝુમદાર શોએ કહ્યું," ટૂંક સમયમાં રસી પહોંચાડવા માટે કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સ વિકસાવવી તે ભારત માટે સૌથી મોટો પડકાર હશે.
વધુમાં તેમણે કહ્યું કે , "હું આશા રાખું છું કે નવેમ્બરના અંત સુધીમાં આપણે એ સ્થિતિમાં હશું જેમાં આપણે કહી શકશું કે આપણી પાસે યોજના અને ડિજિટલ પ્લેટફોર્મ છે જે રસી પહોંચાડવા માટે મદદ કરશે."