કેન્દ્ર સરકાર ખેડૂતો બાદ હવે મજૂરોને ભેટ આપી શકે છે. લેબર મિનિસ્ટ્રીની એક કમિટીએ શ્રમિકો માટે રાષ્ટ્રીય સ્તર પર ન્યૂનતમ મજૂરી પ્રતિમાસ 9750 રૂપિયા આપવાની ભલામણ કરી છે. આ ઉપરાંત શહેરી મજૂરો માટે 55 રૂપિયા રોજના હિસાબથી હાઉસ રેન્ટ અલાઉન્સ આપવાનું સૂચન આપ્યું છે. જે એક મહિનાના 1650 રૂપિયા હોય છે. એવામાં મજૂરોને એક મહિનામાં ન્યૂનતમ 11250 રૂપિયા આપવા પડશે. સરકાર લેબર મિનિસ્ટ્રીની કમિટીની ભલામણો પર લોકસભા ચૂંટણી પહેલા છેલ્લો નિર્ણય લઇ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર લેબલ મિનિસ્ટ્રીએ મજૂરોને દરરોજ 375 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જણાવી દઇએ કે હાલના સમયમાં એગ્રીકલ્ચર સેક્ટરમાં અનસ્કિલ્ડ લેબર માટે રાષ્ટ્રીય સ્તર પર ન્યૂનતમ મજૂરી 321 રૂપિયા અને અન્ય સેક્ટરમાં અનસ્કિલ્ડ લેબર માટે 371 રૂપિયા પ્રતિદિન છે. લેબર મિનિસ્ટર સંતોષ ગંગાવાર પ્રમાણે શ્રમિકોના હિતોને સર્વોચત્ય પ્રાથમિકતા આપે છે. સરકાર ઇચ્છે છે કે શ્રમિકોને એટલી મજૂરી મળે જેનાથી એ પોષક ભોજન લઇ શકે.
લેબર મિનિસ્ટ્રીએ રાષ્ટ્રીય ન્યૂનતમ મજૂરી નક્કી કરેલી સમીક્ષા કરવા અને એને નક્કી કરેલી રીતો સૂચન માટે વીવી ગિરિ રાષ્ટ્રીય શ્રમ સંસ્થાનના ફેલો અનૂપ સતપથીની અધ્યક્ષતામાં જાન્યુઆરી 2017માં એક એક્સપર્ટ કમિટિનું ગઠન કર્યું હતું.