દેશમાં કોરોના નામની મહામારી ફેલાઈ ચૂકી છે ત્યારે મોદી સરકારે અનેક લોકો માટે રાહત ફંડની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારે રાહત ફંડની પણ જાહેરાત કરી છે. દેશમાં હાલ સુધીમાં કુલ 694 કેસ અને 16 લોકોના મોત થયા છે. આ માટે સરકાર ગ્રામીણ વિસ્તારના લોકો માટે પણ ખાસ પગલાં લઈ રહી છે. પીએમ મોદીએ રેલ મંત્રાલયને આદેશ આપ્યા છે કે તેઓ ટ્રેનના કોચ અને કેબિનને આઈસોલેશન વોર્ડ અને આઈસીયૂમાં બદલે જેથી ગ્રામીણ વિસ્તારમાં પણ સુવિધાઓ પહોંચાડી શકાય.
કોરોનાના કહેર વચ્ચે મોદી સરકારનો નવો પ્લાન
ગ્રામીણ વિસ્તારના લોકોને આ રીતે પહોંચાડશે મદદ
ટ્રેનના કોચ અને કેબિનને આઈસોલેશન વોર્ડ અને આઈસીયૂમાં બદલશે
કેરળની કંપનીએ મોદી સરકારને મદદ કરવા લખ્યો પત્ર
કેરળની એક કંપનીએ PMOને પત્ર લખીને કહ્યું છે કે તેઓ ટ્રેનના ડબ્બાને હોસ્પિટલના વોર્ડની જેમ ડિઝાઈન કરવા તૈયાર છે. જો ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ફેલાશે તો તેને માટે મોદી સરકાર પાસે પ્લાન તૈયાર છે.
ટ્રેનમાં આ રીતે તૈયાર કરી શકાશે હોસ્પિટલના જેવી જ સુવિધાઓ
કંપનીએ કહ્યું છે કે આપણી પાસે 12,167 ટ્રેન છે અને તે દરેકમાં લગભગ 25-30 કોટ હોય છે. અમે તેને સરલતાથી મોબાઈલ હોસ્પિટલમાં ફેરવી શકીએ છીએ. તેમાં મેડિકલ સ્ટોરથી લઈને આઈસીયૂ અને પેન્ટ્રી કારની પણ વ્યવસ્થા થઈ શકે છે. દરેક ટ્રેનમાં લગભગ 1000 બેડની પણ વ્યવસ્થા થઈ શકે છે. 7500થી વધારે રેલવે સ્ટેશનોની મદદથી દર્દીને ટ્રેનમાં એડમિટ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે મોદી સરકાર લાંબા સમયથી કોરોનાથી દેશને બચાવવા માટે પોતાના પ્રયાસો સતત કરી રહી છે. દેશભરમાં 24 માર્ચથી દેશભરમાં લૉકડાઉનનું એલાન કર્યું અને સાથે જ પેસન્જર ટ્રેન સેવાઓ પણ 14 એપ્રિલ સુધી રદ્દ કરી છે.