સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને વધેલા DA-DRની ચૂકવણી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
નાણાંમંત્રાલયે આપ્યા એક ગૂડ ન્યૂઝ
કર્મચારીઓએ-પેન્શનર્સ માટે ખાસ એલાન
DA-DRનું જલ્દીથી જ કરવામાં આવશે ચૂકવણી
સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને વધુ એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાણા મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કર્મચારીઓને વધારો થયેલુ મોંઘવારી ભથ્થું (DA) જાન્યુઆરી 2022 થી લાગુ કરવામાં આવશે.
DAમાં ક્યારથી મળશે વધારો ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને ડીએમાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. આ પછી સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 31 ટકાથી વધારીને 34 ટકા કરવામાં આવ્યું હતું. આની ગણતરી કર્મચારીની બેઝિક સેલરી પર કરવામાં આવે છે. કર્મચારીઓને મોંઘવારીના દરોમાં રાહત આપવા માટે સરકાર ભથ્થામાં વધારો કરે છે. એ જ રીતે, તે પેન્શનરોને મોંઘવારીમાં થોડી રાહત આપવા માટે ડીઆરમાં પણ વધારો કરે છે.
શું કહ્યું નાણા મંત્રાલયે ?
નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે દેશના લગભગ 47.68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે વધારો કરેલા ડીએની ગણતરી જાન્યુઆરીથી જ કરવામાં આવશે. ટૂંક સમયમાં તે કર્મચારીઓ અને પેન્શનરોને દર મહિને મળતી રકમમાં ચૂકવવામાં આવશે, જ્યારે પાછલા મહિનાના એરિયર્સની ચૂકવણી કરવામાં આવશે.
મંત્રાલયે કહ્યું કે DAમાં વધારો કરવાના નિર્ણય 7મા પગાર પંચની ભલામણો અનુરુપ કરવામાં આવ્યો છે. જે પ્રવર્તમાન મોંઘવારી દર અને કર્મચારીઓ પર વધતા બોજને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવશે. ડીએ તરીકે 3 ટકાની રકમ કર્મચારીઓના માસિક પગારમાં ઉમેરવામાં આવશે, જ્યારે આ રકમ પેન્શનરોને દર મહિને મળતા પેન્શનમાં ઉમેરવામાં આવશે.
આ પેન્શર્સને થશે ફાયદો
કેન્દ્રીય વિભાગો કે કંપનીમાંથી રિટાયર્ડ કર્મચારીઓને DRના રુપમાં પેન્શનમાં વઘારો થશે
સશસ્ત્ર દળની સેવાથી રિટાયર્ડ કર્મીઓને પણ મળશે લાભા
ઓલ ઇન્ડિયા સર્વિસના પેન્શનર્સનો પણ આમા સમાવેશ
રેલવેના પેન્શનર્સ અને તેમના પરિવારોને મળશે લાભ
પ્રોવિઝનલ પેન્શન મેળવવા પેન્શનર્સને પણ DA આપવામાં આવશે.