પ્રધાનમંત્રી મોદીએ 2014માં દેશની કમાન સંભાળી છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ કેટલાય પ્રકારની પરંપરાઓને બદલી નાખી છે. આવી જ કંઈક પરંપરાઓ બજેટ સાથે પણ જોડાયેલી છે.
મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ કેટલીય પરંપરા બદલી
બજેટ સાથે જોડાયેલી પરંપરામાં ફેરફાર
અંગ્રેજોના સમયથી ચાલી આવતી હતી આ પરંપરાઓ
પ્રધાનમંત્રી મોદીએ 2014માં દેશની કમાન સંભાળી છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં તેમણે અલગ અલગ કેટલાય પ્રકારની પરંપરાઓને બદલી નાખી છે. આવી જ કંઈક પરંપરાઓ બજેટ સાથે પણ જોડાયેલી છે. તેને પણ મોદી સરકારના કાર્યકાળમાં બદલી નાખવામાં આવી છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2022ના રોજ દેશમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે અહીં વાત કરીએ બજેટ સાથે જોડાયેલી પરંપરાઓ વિશે, જેને મોદી કાર્યકાળમાં બદલી નાખવામાં આવી છે.
બજેટ રજૂ કરવાની તારીખ
અંગ્રેજોના જમાનામાંથી બજેટ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રજૂ થતું હતું. પણ આ હવે તે 1 ફેબ્રુઆરીથી રજૂ કરવામાં આવે છે. પીએમ મોદીના કાર્યકાળમાં 2017માં તત્કાલિન નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ કર્યું તો, તે 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ ફેરફાર કરવા પાછળનું કારણ એવું હતું કે, નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલા બજેટ સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓ પુરી થઈ જાય.
સામાન્ય બજેટનો ભાગ બન્યું રેલ્વે બજેટ
આમ તો પહેલા રેલ બજેટ અને સામાન્ય બજેટ અલગ અલગ રજૂ કરવામાં આવતું હતું. પણ 2016માં 1924થી ચાલી આવતી આ પરંપરા બદલી નાખવામાં આવી. આ અગાઉ સંસદમાં સામાન્ય બજેટ પહેલા રજૂ કરવામાં આવતું હતું પણ 2016થી રેલ બજેટ પણ યુનિયન બજેટનો ભાગ બની ગયું.
બ્રીફકેસથી ટેબ્લેટ સુધીની સફર
આઝાદ ભારતમાં 1947માં પહેલી વાર નાણામંત્રી આરસી કે એસ ચેટ્ટીએ બજેટ રજૂ કર્યું તો, તે દસ્તાવેજો ચામડામાંથી બનેલા બ્રિફકૈસમાં લઈને સંસદ પહોંચ્યા હતા. પણ 5 જૂલાઈ 2019ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે લાલ કપડાના એક ખાતાવહીમાં બજેટના કાગળ લઈને પહોંચ્યા હતાં. જો કે, હવે કોરોનાને જોતા આ દસ્તાવેજો 2021માં ટેબ્લેટમાં આવી ગયા છે. જે ડિજીટલ બજેટ હતું.
ખતમ થઈ ગઈ પંચ વર્ષિય યોજનાઓ
મોદી સરકારે 2015માં આયોજન પંચને ખતમ કરીને નીતિ આયોગની રચના કરી. તેની સાથે જ દેશમાં આવતી પંચ વર્ષિય યોજનાઓ પણ ખતમ થઈ ગઈ. આ યોજનાઓ દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહર લાલ નહેરુના સમયથી ચાલી આવતી હતી. પણ 2017માં તેને ખતમ કરી દેવામાં આવી.
હલવા સેરેમની તૂટી
કોવિડ મહામારીને કારણે વર્ષ 2022માં બજેટ છપાઈ શરૂ થતાં પહેલા યોજાતી હલવા સેરેમનીની પરંપરા પણ યોજાઈ નથી. મંત્રાલય તરફથી બતાવામાં આવ્યું છે કે, હલવા સેરેમનીની જગ્યાએ કોર સ્ટાફને તેમના કાર્યસ્થળ પર લોક ઈનથી પસાર થવાના કારણે મિઠાઈ આપવામાં આવી છે.