કોરોનાના વધતાં જતાં કેસોને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે, હાલ પૂરતો રેમિડેસિવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
કોરોનાના વધતાં કેસો વચ્ચે મોદી સરકારનો નિર્ણય
રેમિડેસીવીરના નિકાસ પર પ્રતિબંધ મૂકાયો
સરકાર દર્દીઓ અને હોસ્પિટલો સુધી સરળતાથી ડ્રગ મળે તેની વ્યવસ્થા કરશે
કોરોનાની પરિસ્થિતિ જ્યાં સુધી ન સુધરે ત્યાં સુધી કેન્દ્ર સરકારે ઈન્જેક્શન રેમિડેસિવીર ઇન્જેકશન અને રેમિડેસિવીર એપીઆઇના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
દર્દીઓ અને હોસ્પિટલો સુધી રેમિડેસિવીર સરળતાથી પહોંચાડી શકાય તે માટે સરકાર પગલાં ભરી રહી છે
ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર હાલમાં દેશમાં 11.8 લાખ જેટલા એક્ટિવ કેસ છે અને હજુ પણ તેમાં વધારો થવાની શક્યતા છે, જેણે પગલે સરકાર માને છે કે આવનારા દિવસોમાં રેમિડેસીવીરની ડિમાન્ડ વધવાની પૂરી શક્યતાઓ છે.
હાલમાં દેશમાં સાત કંપનીઓ છે જે અમેકયાની ગિલેડ સાયંસિઝ કંપનીની સાથે વૉલંટિયર લાયસન્સ માટેનો કરાર ધરાવે છે અને ઇન્જેકશન બનાવે છે, આ જાણકારી સહિત સરકારે જ્યાં સુધી કોરોનાની સ્થિતિ દેશમાં નિયંત્રણમાં ન આવી જાય ત્યાં સુધી આ રેમિડેસીવીરના ઇન્જેકશન અને તેણે બનાવવા માટે વપરાતા APIના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ સિવાય લોકો અને હોસ્પિટલૉ સુધી આ ઇન્જેકશનની પહોંચ વધારવા માટે પણ સરકારે ત્રણ નિર્ણયો લીધા છે, જેના અનુસાર રેમિડેસીવીરના દરેક ઘરેલુ ઉત્પાદકોને તેમની વેબસાઇટ પર આ ડ્રગના સ્ટોકિસટ્સ અને ડિસ્ટ્રિબ્યુટરની વિગતો મૂકવી પડશે.
આ ઇન્જેકશનના કાળા બજારને રોકવા માટે ડ્રગ ઈન્સ્પેકટરોને સ્ટોક વેરીફાય કરવા સહિતની મહટાવની જવાબદારીઓ આપી છે, જેમાં રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો પણ આ સ્થિતિનીઓ સમીક્ષા કરશે. સાથે જ ફાર્માસ્યુટિકલ વિભાગ પણ આ ડ્રગના ઉત્પાદકોની સાથે સતત સંપર્કમાં રહેશે.
મહત્વનું છે કે હાલમાં ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં આ ઇન્જેકશનની અછત જેવો માહોલ સર્જાઇ ગયો હતો, ખાસ કરીને રાજકોટ અને સુરતમાં પૂરતા સ્ટોકના અભાવે સ્થિતિ વિકટ બની ગઈ હતી.
આ ડ્રગ ગંભીર સ્થિતિમાં કોરોના દર્દીનો જીવ બચાવી શકવા સક્ષમ છે, અમુક મીડિયા અહેવાલોમાં દર્શાવાયું હતું કે ઓછા સ્ટોકના કારણે આ ડ્રગના કાળા બજાર પણ થવા લાગ્યા હતા અને તેની વાસ્તવિક કિંમત કરતાં અનેકગણો ભાવ વસૂલાઈ રહ્યો હતો, જો કે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલની મફત ઇન્જેકશન વિતરણ અને મુખ્યમંત્રી રૂપાણીની મીડિયામાં પ્રતિક્રિયા પછી આ ઇન્જેકશનને લઈને વિવાદ વકર્યો હતો, જો કે કેન્દ્ર સરકારે અગમચેતી દાખવીને આ ડ્રગની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.