મોદી સરકારે દેશમાં ડૉલરનો પ્રવાહ વધારવા માટે એક મોટું પગલુ ઉઠાવ્યું છે. સરકારે કોઈ કંપની અથવા ટ્રસ્ટ તરફથી ભારત બહાર કોઈ પણ બિન નિવાસી અથવા વિદેશી કંપનીઓને અપાતા રૂપિયે બૉન્ડ પર મળતા વ્યાજને ટેક્સમાંથી મુક્ત કરવાની જાહેરાત કરી છે.
નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે 17 સપ્ટેમ્બર 2018થી લઈને 31 માર્ચ 2019ની વચ્ચે ભારત બહાર રૂપિયામાં જારી કરાતા બૉન્ડ પર મળતુ વ્યાજ કર મુક્ત હશે. સરકારના આ પગલાનો હેતુ દેશની અંદર ડૉલરના પ્રવાહને પ્રોત્સાહન આપવાનો છે.
નાણાં મંત્રાલય તરફથી જાહેર કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વ્યાજની આવક તેવા રૂપિયા બૉન્ડ પર છૂટના દાયરામાં અપાશે જેને ભારત બહારથી સપ્ટેમ્બર 2017 2018થી 31 માર્ચ 2019 સુધી જાહેર કરાશે. આઈટી કાયદા મુજબ 1 જુલાઈ 2020થી પહેલા ભારત બહાર જારી રૂપિયા બૉન્ડ પર એક વિદેશી કંપની સહિત કોઈ પણ ભારતીય કંપની અથવા બિન-નિવાસીને એક વેપાર ટ્રસ્ટ તરફથી ચૂકવવા પાત્ર વ્યાજ ટેક્સના 5% ના રિયાયતી દર માટે પાત્ર છે.
ગયા અઠવાડિયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તેના પરિણામ સ્વરૂપે સરકારે ચાલુ ખાતાની ખોટ (એએડી) રાખવા અને વિદેશી મુદ્રા પ્રવાહમાં વૃદ્ધિ કરવા માટે એક બહુપક્ષીય રણનીતિની જાહેરાત કરી હતી. મંત્રાલયે કહ્યું કે આ પૃષ્ઠભૂમિમાં વિદેશી મુદ્રા પ્રવાહમાં વૃદ્ધિ માટે વિદેશી રૂપી ડૉમિનેટેડ બૉન્ડને વધુ પ્રોત્સાહિત કરવામાં આવે છે. એટલે વિદેશી મુદ્રા પ્રવાહમાં વધારો થઈ શકે.