અફઘાનિસ્તાનની પરિસ્થિતીને જોતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું કે અફઘાનમાં ફસાયેલા ભારતીય નાગરીકોને ઝડપથી બહાર કાઢવામાં આવશે.
કાબુલમાં બ્લાસ્ટ બાદ મોદી સરકારનું નિવેદન
અફઘાનિસ્તાનમાં ફસાયેલા નાગરીકોને બહાર કાઢવાની કરી વાત
અત્યાર સુધીમાં 260 લોકોને બહાર કાઢ્યા હોવાનો કર્યો ઉલ્લેખ
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કરી લીધા બાદ પરિસ્થિતી હાલ ગંભીર થઈ ગઈ છે અને અમેરિકા સહિતના દેશો ત્યાથી તેમના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ કે દુશાંબથી 6 અલગ અલગ જગ્યાએ ઉડાન ભરવામાં આવી જેમા 550 જેટલા લોકેને બહાર કાઢવામાં આવ્યા છે. જેમા 260 જેટલા ભારતીય નાગરીકો હતા
Situation on the ground is uncertain (in Afghanistan). Primary concern is security & safety of people. Currently, there is no clarity about any entity forming a govt in Kabul. I think we are jumping the gun regarding recognition: MEA Spokesperson on recognition of Taliban govt pic.twitter.com/qvU0JowJ70
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પ્રેસ-કોન્ફરસ્ન કરીને કહ્યું કે ભારત સરકારે અન્ય એજન્સિઓ દ્વારા પણ ભારતીય નાગરિકોને બહાર કાઢાવ્યા છે. સાથેજ તેમણે કહ્યું તે અમેરિકા અને તાજિકિસ્તાન જેવા દેશો સાથે પણ આપણા સંપર્કમાં છે. સમગ્ર મામલે વધુંમાં તેમણે એલવું પણ કણ કહ્યું હતું કે મોટાભાગના ભારતીયોને નીકાળી દેવામાં આવ્યા છે.
We continue to monitor the situation very carefully (in Afghanistan). This is an evolving situation: MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/Tv9k976qSZ
અરિંદમ બાગચીને જ્યારે એવો સવાલ પુછવામાં આવ્યો કે કેટલા લોકોને અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે તેમણે એવું કીધું કે તેનો આંકડો બદલાતો રહેતો હોય છે. સાથેજ તેમણે કહ્યું કે દેશ છોડવા માટે લોકોના અમને ફોન આવી રહ્યા છે.
દેશના નાગરીકોને સફળતાથી બહાર કાઢવામાં આવ્યા
વધુંમાં તેમમે કહ્યું કે અફઘાન નાગરિકોની સાથે સાતે અન્ય દેશના નાગરિકોને પણ તેઓ બહાર લાવવામાં સફળ રહ્યા છે. તેમણે કહ્યું અમારુ ધ્યાન પહેલા ભારતીય નાગરીકો પર રહેશે પરંતું જે અફઘાનીઓ આપણાને સાથ આપી રહ્યા છે. તેમને પણ તેઓ સાથ આપશે.
બ્લાસ્ટ બાદ વિશ્વમાં ચિંતાનો માહોલ
ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટ પર જે બ્લાસ્ટ થયો તે મુદ્દે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે હાલ અફઘાનિસ્તાન પર સૌની નજર છે. જે બ્લાસ્ટ થયો છે તેના કારણે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશો ચિંતામાં મુકાઈ ગયા છે.