કેન્દ્ર સરકારે 167 'પરિવર્તનકારી વિચારો'ની એક લિસ્ટ તૈયાર કરી છે જેના સંબંધિત કાર્ય મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા 100 દિવસોમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. તેમા દેશભરના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 3 લાખ ફેકલ્ટીઝના ખાલી પડેલા પદો ભરવાની કવાયત પણ સામેલ છે. 15 ઓક્ટોબરે મોદી સરકાર 2.0ના 100 દિવસ પૂર્ણ થઇ જશે.
કેબિનેટ સેક્રેટરી પ્રદીપ સિન્હાએ 10 જૂલાઇએ તમામ સચિવોને સંદેશ મોકલ્યા જે સચિવોના ક્ષેત્રીય સમૂહોની ભલામણો પર આધારીત હતા. આ ભલામણો પર મંત્રીઓના સમૂહોના અભિપ્રાય લેવાયા, બાદમાં સરકારના 100 દિવસનો કાર્યક્રમના ભાગ રૂપે 167 પરિવર્તનકારી વિચારોને લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
કેબિનેટ સેક્રેટરી કરશે મોનિટરીંગ
ઇકોનોમિક ટાઇમ્સને જાણવા મળ્યું છે કે કેબિનેટ સેક્રેટરીની નોટમાં આ આઇડિયાઝને લાગૂ કરવાનો સમય 5 જૂલાઇથી 15 ઓક્ટોબર બતાવામાં આવી છે. તેમા બતાવામાં આવ્યું છે કે મંત્રાલયો દ્વારા ઘણા ચરણોમાં પ્રેઝેન્ટેશન આપવા અને તેના પર ઉચ્ચ વિવેચના બાદ 100 દિવસોની અંદર પૂર્ણ કરવા માટેના મહત્વપૂર્ણ કાર્યોની સૂચી તૈયાર કરવામાં આવી હતી.
આ વિચાર પર ચાલી રહેલા કાર્યોનું સીધુ મોનિટરીંગ સંબંધિત મંત્રાલયોના સચિવ કરશે. એ દર શુક્રવારે સાંજે 5 વાગે સુધીના કાર્યની સ્ટેટસ રિપોર્ટ કેબિનેટ સેક્રેટરીને મોકલશે. તમામ મંત્રાલયોના કાર્યની પ્રગતિ દર્શાવનાર ડેશબોર્ડ્સ લગાવવા પણ કહેવામાં આવ્યું છે. જેથી સૌની તેના પર નજર રહે.
100 દિવસોમાં પૂર્ણ થશે પ્રોજેક્ટ્સ
કહેવામાં આવી રહ્યું છે કે પ્રમુખ પરિયોજનાઓમાંથી મોટાભાગના વહીવટીય સુધારાના ઘણા કાર્યક્રમ સામેલ છે. સરકારનું જોર કેન્દ્રીય સાર્વજનિક ફરિયાદ નિવારણ અને મોનિટરીંગ વ્યવસ્થા (સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રિવાન્સેઝ રીડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ) ને ઠીક કરવા પર છે. જે હેઠળ સામાન્ય માણસોની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી અને ઉકેલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું છે. સરકાર નેશનલ ઇ-સર્વિસિઝ ડિલિવરી અસાઇનમેન્ટ અને કેન્દ્રીયલ સચિવાલય માટે એક નવા ઓફિસ મેન્યુલ અને ઓફિસ પ્રોસીઝર તૈયાર કરી રહી છે.
આ પ્રકારે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયને દેશભરના ઉચ્ચ શિક્ષા સંસ્થાનોમાં ખાલી પડેલ 3 લાખ ફેકલ્ટીઝના પદ ભરવા માટે 100 દિવસોની અંદર મોટા પ્રમાણમાં અભિયાન ચલાવવાની જવાબદારી આપવામાં આવી છે. ત્યારે સંસ્કૃતિ મંત્રાલયને નેહરૂ સ્મારક અને પુસ્તકાલયમાં દેશના વડાપ્રધાનનું મ્યૂઝિયમ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે. સાથે જ તેના પર લાલ કિલ્લો પર ત્રણ નવા બેરક મ્યૂઝિયમના ઉદગાટન સહિત મહાત્મા ગાંધીની 150મીં જયંતી સમારોહ સંબંધિત કેટલાક કામને પણ અંજામ આપવા આવશે.