સરકારે ટ્વિટ કરતાં લખ્યું છે કે રસોડામાં રહેલ હળદર અને જીરાનાં ઉપયોગથી કોરોના થતો અટકાવી શકાય છે.
કોરોનાથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે
PIB એ જણાવ્યું કે કઈ રીતે કરાય હળદર અને જીરાનો ઉપયોગ
કોરોનાથી બચવા માટે SMS નો કરો ઉપયોગ
કોરોનાથી હવે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે
કોરોનાએ દેશમાં હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, હજારો લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે અને તેનાથી વધુ લોકો કોરોનાનાં સંક્રમણનો ભોગ બની રહ્યા છે. તેવામાં દરેક ઘરમાં કોરોનાને લઈને ડર પેસી ગયો છે. સ્વાભાવિક રીતે રાજ્યમાં આંશિક કર્ફ્યૂ હોવાને લીધે લોકો બીજરૂરી રીતે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. પણ જો તમે વધુ તકેદારીના ભાગ રૂપે કોરોનાથી પોતાનું અને પોતાના કુટુંબને દૂર રાખવા માંગતા હોવ તો આ ઘરેલું ઉપચાર અપનાવજો.
PIB એ જણાવ્યું કે કઈ રીતે કરાય હળદર અને જીરાનો ઉપયોગ
PIB નાં ફેક્ટ ચેક ટ્વિટર અકાઉન્ટ પર આ માહિતી મૂકવામાં આવી છે. ફોટોની સાથે સાથે તેમણે ઉપાય જણાવતા માહિતી આપી છે કે શું તમે ઈન્ટરનેટ પર કોરોનાનાં સમાચાર અને તે માટે લોકોએ આપેલા નુસખાઓ વાંચી વાંચીને કંટાળી ગયા છો? તો પછી અમે બતાવેલ નુસખો અજમાવી જુઓ અને પછી પરિણામ જુઓ ! ફોટામાં આખી રીત આપવામાં આવી છે. એ રીતની પહેલી લાઇનમાં લખ્યું છે કે સૌ પ્રથમ હળદરનો પાઉડર અને જીરું લઈ બંનેને એકબીજામાં ભેળવી લો. ત્યારબાદ એક-એક કરીને હળદરમાં રહેલ જીરું અલગ કરો. અને છેલ્લે ત્રીજી લાઇનમાં લખ્યું છે કે આવા જ કઈંક કામ કરતાં રહો, પણ જરૂરિયાત વિના ઘરમાંથી બહાર નિકળશો નહીં.
क्या आप इंटरनेट पर कोरोना से बचाव के घरेलू नुस्खों के बारे में पढ़-पढ़कर ऊब गए हैं?
કોરોનાથી બચવા માટે SMS નો કરો ઉપયોગ
સરકાર છેલ્લા વર્ષથી જ કોરોનાથી બચવા માટે ત્રણ વાતો પર ખાસ ધ્યાન આપવાનું કહે છે. જેને ટૂંકમાં SMS કહેવામાં આવે છે. SMS એટલે કે સેનેટાઈઝર, માસ્ક અમે સોશ્યલ ડિસ્ટન્સ. એક્સપર્ટ લોકો કહે છે કે કોરોનાથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધુઓ અથવા સેનેટાઈઝ કરો. અને બહાર જતી વેળાએ માસ્ક અવશ્ય પહેરીને રાખો. સાથે જ હવે તો બે માસ્ક પહેરવાનું પણ સૂચન કર્યું છે. અને જો જરૂરી નાં હોય તો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળો.