મોદી સરકારે વીજળી ગ્રાહકોને સશક્ત બનાવવા મહત્વનું પગલું લીધું છે. જેમાં ગ્રાહકોને 24 કલાક વીજળી મળશે અને સાથે જ કેટલાક ખાસ નિયમો જાહેર કર્યા છે. 24 કલાક વીજળી મળવાની વાતને વીજળી ગ્રાહકોના અધિકારમાં સામેલ કરાયા છે.
મોદી સરકારનું મહત્વનું પગલું
હવે ગ્રાહકોને 24 કલાક વીજળી મળશે
આ સાથે જ મળશે આ 11 અધિકારો પણ
મોદી સરકારે કહ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન થશે તો વીજળી વિતરણ કંપનીઓની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે. આ નિયમો વિશે વીજળી મંત્રી આરકે સિંહે કહ્યું કે દેશની વીજળી વિતરણ કંપનીઓ હવે સેવા પ્રદાતા કંપની બની છે.વીજળી ગ્રાહકોને અન્ય સેવા ક્ષેત્રોની જેમ દરેક અધિકાર મળશે. આ નિયમોની મદદથી સામાન્ય જનતાનું સશક્તિકરણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારનું નવું પગલું આ નિયમોને વિશે દેશમાં પ્રચાર કરવાનું છે. જો કોઈ તેનું પાલન નહીં કરો તો કાર્યવાહી કરાશે. આ નિયમથી 30 કરોડ વીજળી ગ્રાહકોને ફાયદો થશે.
11 પ્રકારના અધિકારો રહેશે સુનિશ્ચિત
વીજળી મંત્રાલયની તરફથી આપેલી જાણકારી અનુસાર વીજળી ગ્રાહકોને કુલ 11 અધિકારો અપાયા છે. તેમાં નવા કનેક્શન લેવાથી લઈને મીટર લગાવવા અને બિલનું પેમેન્ટ કરવાની વાતો પણ સામેલ છે. દરેક પ્રકારના વીજળીના કનેક્શનની ઓનલાઈન સુવિધા પણ મળશે.
નક્કી સમયમાં આપવાનું રેહશે કનેક્શન
ગ્રાહકોની અરીની સાથે 7 દિવસમાં મહાનગરમાં, 15 દિવસમાં નગર નિગમમાં અને 30 દિવસમાં ગ્રામીણ વિસ્તારોમાં વીજળીનું કનેક્શન આપવાનું રહેશે. કોઈ પણ કનેક્શન વિના સ્માર્ટ પ્રી પેડ કે પ્રી પેડ મીટરના નહીં અપાય. ગ્રાહકોને વીજળીનું પેમેન્ટ ઓનલાઈન કરવાનો વિકલ્પ પણ આપવાનો રહેશે.
આયોગ નક્કી કરશે વીજ કાપ
વીજળી નિયામક આયોગ નક્કી કરશે કે કોઈ ખાસ સ્થિતિમાં વીજળી પૂરી પાડવાનો સમય ઘટાડાશે કે નહીં. વીજળીનો કાપ કઈ સ્થિતિમાં કેટલો હોઈ શકે છે તે પણ આયોગ નક્કી કરશે. બિલ કે મીટરની ફરિયાદો દૂર કરવા માટેના નિયમો આયોગને આધીન રહેશે.