કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલયએ નૈનો યૂરિયા (Nano Urea) ટેક્નોલોજી ટ્રાન્સફર માટે કેટલીક કંપનીઓ સાથે એમઓયૂ કર્યા છે.
કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલયએ નૈનો યૂરિયા ટેક્નોલોજી ટ્રાન્સફર માટે કર્યા એમઓયૂ
રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી પીએમે
ધીરે ધીરે એમઓયુથી ફાયદો થવાની આશા
કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલયએ નૈનો યૂરિયા ટેક્નોલોજી ટ્રાન્સફર માટે કર્યા એમઓયૂ
મોદી સરકારે મંગળવારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રાલયએ નૈનો યૂરિયા (Nano Urea) ટેક્નોલોજી ટ્રાન્સફર માટે એક એમઓયૂ ઈફકો અને નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ અને બીજુ એમઓયૂ ઈફકો અને રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડની વચ્ચે કર્યા છે. આ નિર્ણય બાદ હવે દેશમાં નૈનો યૂરિયનું ઉત્પાદન અને વધારો કરવામાં આવશે.
રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી હતી પીએમે
આ પ્રસંગે કેન્દ્રીય રસાયણ તથા ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ 15 ઓગસ્ટ 2019ના લાલ કિલ્લાની પ્રાચીરથી ખેડૂતોને એ અપીલ કરી હતી કે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરે. નૈનો યુરિયા આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે. પ્રધાનમંત્રીની પ્રેરણાથી વિકસિત આ ઉત્પાદ ક્રાંતિકારી સાબિત થશે.
એમઓયૂ સાઈન કરવાથી શુ થશે?
માંડવિયાએ કહ્યું કે કોઈ પણ Gamechanger Technology માટે મોટો પડકાર એ હોય છે કે તેને મોટા પાયો સામાન્ય લોકો અપનાવે, નૈનો યૂરિયાની સાથે એ પણ પડકાર છે. નૈનો યૂરિયા એક Revolutionary Product તો છે પરંતુ દેશમાં સામાન્ય ખેડૂતો આને જેટલી ઝડપથી અપનાવશે તેટલી પોઝિટિવ અસર ઝડપથી મળશે. અને કૃષિ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભરતાથી આગળ વધી શકાશે.
ધીરે ધીરે આ રીતે થશે ફાયદો
તેમણે કહ્યું કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે આ જરુરી છે કે નૈનો યુરિયાનું ઉત્પાદન હજું વધશે. Fertiliserના વિસ્તારમાં કામ કરી રહેલી બીજી સરકારી કંપનીઓ પણ આ કામમાં લાગશે. આ એમઓયુથી આવનારા દિવસોમાં યૂરિયા પ્રોડક્સન વધશે. આની સાથે પ્રચાર - પ્રસારમાં ત્રણ સંગઠન લાગશે. આનાથી ખેડૂતોની વચ્ચે ઓછામાં ઓછા સમયમાં નૈનો યુરિયાની લોકપ્રિયતા વધારવામાં મદદ મળશે અને ઝડપથી ખેડૂતોને નવા ઉત્પાદનને અપનાવશે. ઉલ્લેખનીય છે કે ગત ઈફકોએ નૈનો યૂરિયાને વિકસિત કરવાનું કામ કર્યુ છે. જૂનમાં ઈફકોએ આના વાણિજ્ય ઉત્પાદન શરુ કર્યુ. આમ કરનારો ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો.