કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું હતું કે દેશમાં કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર ટૂંક સમયમાં નવી ટેક્સટાઇલ નીતિ લાવવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું સંબોધન
ટેક્સટાઇલ ક્ષેત્ર માટે નવી પોલિસી આવશે: સ્મૃતિ ઈરાની
કૃષિ કાયદાઓ અને MSP અંગે કાઋ વાત
ટેક્સટાઇલ મંત્રાલય ટૂંક સમયમાં તકનીકી કાપડ અને માનવસર્જિત કાપડના ઉત્પાદન માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી શકે છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ASSOCHAM ના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ ક્ષેત્ર માટે પ્રોત્સાહક યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. કાપડ ઉદ્યોગના પ્રોત્સાહન માટે નવી ટેક્સટાઇલ પોલિસી આવશે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના જણાવ્યા અનુસાર, બે દાયકા પહેલા દેશમાં કાપડ નીતિ રજૂ કરવામાં આવી હતી. જે હાલની પરિસ્થિતિઓ સાથે સુસંગત નથી. મહત્વનું છે કે સ્મૃતિ ઈરાની પાસે કાપડ મંત્રાલય અને મહિલા અને બાલ વિકાસ મંત્રાલયનો હવાલો છે.
MSP પર આપ્યો ભરોસો
સ્મૃતિ ઈરાનીએ, ભારતીય ઉદ્યોગ પર કૃષિ ક્ષેત્રના સુધારાની અસરનો ઉલ્લેખ કરતા કહ્યું, 'ભારત સરકારે MSP હેઠળ આ સુનિશ્ચિત કર્યું કે ખરીદીમાં ટેકનિકનો ઉપયોગ લઈને તેને આગળ વધારી શકાય, અહીં લોકોને તેમના ખાતામાં સીધા પૈસા મળવા જોઈએ."
વધુમાં તેમણે જણાવાયું હતું કે,"કપાસના મામલામાં 2013-14માં માત્ર MSP હેઠળ 90 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે MSP હેઠળ રૂપિયા 28, 500 કરોડની ખરીદી કરાઇ, વર્તમાન સત્ર દરમિયાન 14659 કરોડના કપાસની ખરીદી થઈ ચૂકી છે, અને દેશમાં કપાસ ઉગાડતા 9.63 લાખ ખેડૂતોના ખાતામાં 11,799 કરોડની ખરીદી થઈ ચૂકી છે.
નવા કૃષિ કાયદાઓનો બચાવ કર્યો
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે આનો અર્થ એ છે કે જ્યારે આપણે નીતિ સુધારણા તરફ ધ્યાન આપીએ છીએ, ત્યારે આત્મનિર્ભર ભારતના જેવા વિચાર સાથે આગળ વધીને સીમિત કક્ષેત્રોમાં કામ ન કરી શકાય, જ્યારે કોઈ પણ એક ક્ષેત્રમાં સુધારા કરવામાં આવે છે. તેથી તેની અસર ભારતીય અર્થવ્યવસ્થાની સંપૂર્ણ વેલ્યુ ચેન પર પડે છે. તેમણે કહ્યું કે કૃષિ સુધારણા એક જ ઝટકામાં થયા નથી. આ ચર્ચા અને ચર્ચાના 19 વર્ષ પછી કરવામાં આવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ તકનીકીનો લાભ આપનારા ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર, ખેડૂત સંગઠનો અને કૃષિ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી આ કાયદા બન્યાછે. જેથી તેનો લાભ માત્ર ખેડુતો જ નહીં પરંતુ ઉદ્યોગ અને લોકો સુધી પહોંચે.