દેશના ઈતિહાસના સૌથી મોટા આઈપીઓને લઈને કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. શનિવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં એલઆઈસીના આઈપીઓ માટે ઓટોમેટિક રુટ દ્વારા 20 ટકા એફડીઆઈને મંજૂરી આપી દીધી છે. એલઆઈસીના વિનિવેશન સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દેશની સૌથી મોટી વીમા કંપનીની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.
Cabinet allows up to 20 pc FDI in IPO-bound LIC under automatic route: Sources
કેન્દ્ર સરકારે કેમ લીધો આવો નિર્ણય
સરકારી બેન્કોમાં એફડીઆઈની લિમિટ 20 ટકા છે તેથી એલઆઈસી માટે 20 ટકાની લિમિટ રાખવામાં આવી છે. 20 ટકા એફડીઆઈની મંજૂરી મળતા વિદેશી રોકાણકારો માટે આ આઈપીઓમાં રોકાણ કરવાનો માર્ગ સરળ બન્યો છે એટલે જ્યારે આ આઈપીઓ જાહેર થશે ત્યારે વિદેશીઓ પણ તેને ભરી શકશે, આનાથી આઈપીઓ હીટ થશે.
ઓટોમેટિક રુટ દ્વારા એફડીઆઈ મંજૂરીનું કારણ
સૂત્રોએ જણાવ્યું કે નાણા ભેગા કરવાની દિશામાં ઝડપ લાવવા માટે વીમા સેક્ટરની બીજી કંપનીઓની જેમ એલઆઈસીમાં પણ ઓટોમેટિક રુટ દ્વારા એફડીઆઈની મંજૂરી આપવામાં આવી છે. વધારે એફડીઆઈ આવતા ઘરેલુ નાણા, ટેકનોલોજી ટ્રાન્સફર, મજબૂત આર્થિક વૃદ્ધિ માટે સ્કીલ ડેવલપમેન્ટ અને બીજા સેક્ટર્સના વિકાસમાં મદદ મળશે. સરકારે ગયા વર્ષના જુલાઈમાં એલઆઈસીના આઈપીઓને મંજરી આપી છે અને તાજેતરમાં તેનો ડ્રાફ્ટ પણ સેબીમાં જમા કરાવી દીધો છે. 13-14 માર્ચની આસપાસ આ આઈપીઓ આવી શકે છે.