નાગરીકતા સાબિત કરવા મોદી સરકારે મોટો એકશન પ્લાન તૈયાર કર્યો છે. જેમા હવે બર્થ સર્ટફિકેટ સાથે નાગરીકતાને જોડી દેવામાં આવશે. તે સિવાય હવે દેશના વિકાસને પણ ઝડપતી વેગ મળશે.
નાગરિકતા સાબિત કરવા મોદી સરકારનો એકશન પ્લાન
બર્થ સર્ટિફિકેટ સાથે નાગરીકતાને જોડી દેવામાં આવશે.
વિકાસના કાર્યોને પણ હવે ઝડપથી વેગ મળશે
કેન્દ્ર સરકારે વિકાસના કાર્યો માટે 60 સૂત્રીય એકશન પ્લાન તૈયાર કરી લીધો છે. 18 સપ્ટેમ્બરે દરેક વિભાગના મંત્રાવયો અને સચિવો સાથે વડાપ્રધાન મોદીએ મેરાથન બેઠક કરી હતી. જ બેઠક બાદ એક મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
જન્મના પ્રમાણપત્ર સાથે નાગરીકતા જોડવામાં આવશે
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ એક્શન પ્લાન જન્મના પ્રમાણપત્ર સાથે જોડવામાં આવ્યો છે. દેશમાં નાગરિકતાનું હાલ કોઈ પ્રમાણપત્ર નથી જેથી ટેક્નોલોજીના માધ્યમથી નાગરીકતાને હવે જન્મના પ્રમાણપત્ર સાથે જોડવામાં આવશે. અધિકારીઓના કહેવા પ્રમાણે યોગ્ય ઈનપુટ મોટા ભાગના સચિવોને મોકલવામાં આવ્યા છે.
કેવી રીતે તૈયાર થશે આ એકશ્ન પ્લાન ?
60 સૂત્રીય યોજનામાં અલગ અલગ મંત્રાલયને કામ આપી દેવામાં આવ્યા છે. જેમા આઈટીનો લાભ ઉઠાવવા પર, વ્યવસાયિક માહોલને સુધારવા પર અને સિવિલ સેવાઓને સારી કરવાને લઈને ભાર આપવામાં આવશે
વેપારને આકર્ષિત કરવા માટે ઘણા પ્લાન તૈયાર કર્યા છે. જેમા 10 એવા ક્ષેત્રોમાં વ્યવસાય શરૂ કરવામાં આવશે કે ભારતના વેપારને વિયતનામ અને ઈન્ડોનેશિયાની બરાબર લાવવામાં આવશે.
સમયસર ભૂમિ અધિગ્રહણ અને વન મંજૂરી માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. પર્યાવરણને લઈને એવા નિયમો બનાવામાં આવશે જેથી લોકો કાયદાનું પાલન કરે
નીતિ આયોગને પાચ વર્ષમાં ગીરીબી હટાવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. સાથેજ જુદી જુદી યોજનાઓ આધાર દ્વારા એક સાથે લાવવામાં આવશે.
કાર્ય યોજનાને સફળ બનાવા માટે વડાપ્રધાને મંત્રાલયોને બીજા રાજ્યોની સફળતાને આધારે પ્રેરણા લેવા માટે કહ્યું છે.
રમત વિભાગને રાષ્ટ્રીય સ્તર પર ઉપર લાવીને ઓડિશા મોડેલને અપનાવવા કહેવામાં આવ્યું છે.
પ્રશાસનમાં સુધાર અને લોકોની ફરિયાદને ભારતીય રિઝર્વ બેંકમાં જે રીતે માસ્ટર સર્કુલર છે તેજ રીતે તેમા પણ સરકારી સર્કુલરને રાખવા કહેવામાં આવ્યું છે.
ઉપરાંત સેન્ટ્રલ કમાન અને નિયંત્રણ કેન્દ્ર જેવી પ્રણાલીઓને એક સેવા રૂપે ઉપલબ્ધ કરવા કહેવામાં આવ્યું છે. જેથી નાના શહેરોને પણ લાભ મળી શકશે.
પીએમ આવાસ મંત્રાલયે લોકોને ઝુપડી બનાવતા રોકવામાં આવે તેવું કહ્યું છે. સાથેજ જે લોકો પાસે ઘર નથી તેમના માટે આવાસીય સુવિધાઓ શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે.