મોદી સરકાર હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિજ્મ કોર્પોરેશન (IRCTC)માં પોતાની ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે. આ વેચાણ નરેન્દ્ર મોદી સરકારના એ મહત્વકાંક્ષી યોજનાની ભાગ હશે જે અંતર્ગત આ વર્ષે એટલે કે 2020-21માં વિનિવેશથી સરકાર 2.1 લાખ કરોડ રુપિયા ભેગા કરવા ઈચ્છે છે.
પહેલા જ IRCTC આઈપીઓ દ્વારા સરકાર પોતાનો હિસ્સો ઘટાડી ચૂકી છે
સરકાર 2.1 લાખ કરોડ રુપિયા ભેગા કરવા ઈચ્છે છે
આ વેચાણ નરેન્દ્ર મોદી સરકારના એ મહત્વકાંક્ષી યોજનાની ભાગ હશે
ઉલ્લેખનીય છે કે ગત વર્ષ IRCTCનો આઈપીઓ આવ્યા બાદ એમ પણ આમાં સરકારની ભાગી દારી ઘટીને 87.40 ટકા થઈ ગઈ છે. સીએનબીએસી-અવાજની એક રિપોર્ટ મુજબ વિનિવેશ વિભાગે IRCTCમાં ભાગીદારી વેચવા માટે મર્ચેટ બેંકર અને સેલિંગ બ્રોકર્સની નિમણુક કરી છે. આ વેચાણ ઓએફએસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઓએફએસ માટે પ્રી બિડ મીચિંગ થઈ ચૂકી છે અને બિડિંગ પ્રક્રિયા 11 સપ્ટેમ્બરથી શરુ થઈ શકે છે.
શેર બજારમાં સૂચીબદ્ધ કંપનીઓના પ્રમોટર્સ પોતાની ભાગીદારીને ઓછી કરવા માટે આનો ઉપયોગ કરે છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019માં આવેલા આઈપીઓ દ્વારા સરકારે IRCTCમાં પોતાની ભાગીદારી 12.6 ટકા ઘટાડી દીધી હતી. પહેલા રેલવે દ્વારા સરકારની આમાં 100 ટકા ભાગીદારી હતી.
IRCTC ભારતીય રેલવેની મદદનીશ કંપની છે. IRCTC ટ્રેનોમાં સફર કરનારા લોકોની ઓનલાઈન ટિકિટ બુકિંગની સાથે પ્રવાસીઓને ભોજન વગેરે આપવાની સુવિધા પ્રોવાઈડ કરે છે. આ ઉપરાંત આ કંપની દ્વારા દેશમાં પ્રાઈવેટ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.