કેન્દ્ર સરકાર હવે એક મોટી રાહત આપવા જઇ રહેલ છે. બજેટમાં રજૂ કરવામાં આવેલ મેગા પેન્શન યોજનાનાં ધારકોને સરકાર વધુ લચીલા બનાવવા જઇ રહેલ છે. નાણાંમંત્રી પીયૂષ ગોયલે 1 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી શ્રમ ગોગી માનધાન યોજનાની જાહેરાત કરી હતી.
આમાં કહેવામાં આવ્યું હતું કે જે પણ 15 હજાર રૂપિયા અથવા તો તેનાંથી ઓછા કમાય છે તેને પેન્શન આપવામાં આવશે. પરંતુ હવે જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે 15 હજારથી વધારે મહીના કમાનારા લોકોને પણ પેન્શન આપશે.
કેન્દ્રીય નાણાંમંત્રી પીયૂષ ગોયલે શુક્રવારનાં રોજ અંતરિમ બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. જણાવવામાં આવી રહેલ છે કે આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રનાં 100 મિલિયન મજૂરો લાભાન્વિત થશે. આમાં ઘરેલૂ કામમાં મદદ કરનારા થેલા પહેરનારા રિક્ષા ચાલક અને ખેત મજૂરો પણ શામેલ છે.
નાણાંકીય વર્ષ 2019-20નાં અંતરિમ બજેટ રજૂ થયેલ પ્રધાનમંત્રી શ્રમ ગોગી માનધાન યોજના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રનાં કર્મીઓને માટે 100 રૂપિયા પ્રતિ માસનાં યોગદાન પર 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.
આ સાથે જ જણાવવામાં આવી રહેલ છે કે અસંગઠિત ક્ષેત્રનાં દરેક કર્મીઓને માટે સરકાર પણ 100 રૂપિયાનું યોગદાન ઉપલબ્ધ કરાવશે. આનાંથી આવનારા પાંચ વર્ષમાં 10 કરોડ કર્મીઓ લાભાન્વિત થવાની આશા છે. બજેટ પેશ કરતી વેળાએ ગોયલે એમ કહેતા એવી આશા દર્શાવી હતી કે આ યોજના આગામી પાંચ વર્ષમાં અસંગઠિત ક્ષેત્રને માટે વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના બની શકે છે.
સરકાર દ્વારા બજેટમાં લાવવામાં આવેલ આ યોજના સીમિત લોકો (15 હજાર રૂપિયા મહીને કમાનાર)ને માટે જ હતી. પરંતુ બાદમાં વિચાર કરવા પર એવું નક્કી કરાયું કે આ યોજનાથી ઘણાં લોકો બહાર પણ રહી જશે કે જેઓની માસિક કમાણી કેટલાંક ફાયદાઓને ધ્યાને રાખતા 15 હજાર પાર કરી જશે. એટલાં માટે સરકાર હવે આ બિંદુ પર વિચાર કરી રહેલ છે. સંભાવના છે કે સરકાર આ યોજનાને લોન્ચ કરતા પહેલાં આમાં સુધારો કરી લેશે.