કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો, ખેડૂતો અને મહિલાઓથી લઈને સામાન્ય જનતા માટે વિવિધ પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જે અંતર્ગત આર્થિક સહાયથી લઈને મફત રાશન સુધીની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ શું કેન્દ્ર સરકાર હવે યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપશે? જાણો શું છે વાયરલ મેસેજ પાછળની હકીકત...
મોદી સરકારે શરૂ કરી નવી યોજના?
યુવાનોને દર મહિને મળશે 3400 રૂપિયા?
જાણો શું છે આ વાયરલ મેસેજની હકીકત
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો, ખેડૂતો અને મહિલાઓથી લઈને સામાન્ય જનતા માટે અનેક પ્રકારની સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જે અંતર્ગત આર્થિક સહાયથી લઈને મફત રાશન સુધીની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. હાલમાં જ એક પોસ્ટ સામે આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપશે. જાણો તેના પાછળની હકીકત.
દર મહિને યુવાનોને મળશે 3400 રૂપિયા
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેને ઝડપથી શેર કરવામાં આવી રહ્યા છે. આ દિવસોમાં એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ યુવાનોને દર મહિને 3400 રૂપિયા આપી રહી છે.
આ પોસ્ટ જોયા બાદ પીઆઈબીએ તેનું ફેક્ટ ચેક કર્યું છે. હકીકત ફેક્ટ ચેકમાં પીઆઈબીએ તેની સત્યતા જણાવી છે. પીઆઈબીએ તેના ઓફિશ્યલ ટ્વીટ પર આ અંગેની માહિતી આપી છે.
दावा: प्रधानमंत्री ज्ञानवीर योजना के तहत पंजीकरण करने पर सभी युवाओं को प्रति माह ₹3,400 दिए जाएंगे। #PIBFactCheck
▶️यह दावा फ़र्ज़ी है।
▶️इस तरह की किसी वेबसाइट/लिंक पर अपनी निजी जानकारी साझा न करें।
PIBએ કર્યું ટ્વીટ
આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા પર તમામ યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. પીઆઈબીએ જણાવ્યું કે આ દાવો ખોટો છે. આવી કોઈપણ વેબસાઈટ/લિંક પર તમારી અંગત માહિતી શેર કરશો નહીં. આવી કોઈપણ પોસ્ટને આગળ શેર કરતા પહેલાનું ફેક્ટ ચેક કરવું જરૂરી છે.