પ્રોવિડેન્ટ ફંડને લઇને સરકારે લોકોને મોટી રાહત આપી છે. સરકારે પ્રોવિડેન્ટ ફંડમાં ટેક્સ ફ્રી ઇનવેસ્ટમેન્ટની સીમાને એક ખાસ કેટેગરીના લોકો માટે વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે.
પીએફ મેળવતા કર્મચારીઓ માટે મોટા સમાચાર
ઇન્કમ ટેક્સમાંથી મળશે રાહત
મોદી સરકારની નવી યોજના ખાસ તમારા માટે
એક ખાસ કેટેગરીના લોકોને પીએફ પર મળનારા વ્યાજને ટેક્સ ફ્રી કરી દીધુ છે. તે લોકો જેમના પીએફ ખાતામાં એમ્પ્લોયર તરફથી કોઇ યોગદાન નથી આવતુ તેવા લોકોને આ યોજનાનો લાભ મળશએ.
કેટલા લોકોને થશે ફાયદો?
એવા લોકોને 5 લાખ રૂપિયા સુધીના રૂપિયા પર મળનારા વ્યાજ પર ટેક્સ છૂટ મળશે. લોકસભામાં નિર્મલા સીતારમણે કહ્યું કે આનાથી પ્રોવિડેન્ટ ફંડમાં 1 ટકા લોકો પર જ અસર પડશે. કારણકે બાકીના લોકોના પીએફમાં વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયા કરતા ઓછુ છે.
આ ફાયદો તે લોકોને મળશે જે વોલિંટીયરી પ્રોવિડેન્ટ ફંડ એટલેકે વીપીએફ અને પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીપીએફમાં રોકાણ કરે છે. આ રીતે કુલ 5 લાખ રૂપિયાના રોકાણ પર મળનાર વ્યાજ પર ટેક્સ છુટ મેળવી શકે છે.
બજેટમાં 2.5 લાખ કરવામાં આવ્યુ હતુ
નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં નાણામંત્રીએ આ નિયમ મૂક્યો હતો કે 1 એપ્રિલથી વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધારે પ્રોવિડેન્ટ ફંડ જમા કરાવનાર લોકોને મળનાર ટેક્સ આ હેઠળ આવશે.