નવું ઘર ખરીદનારા લોકોને મોદી સરાકર મોટી ભેટ આપશે. જેમા નવા વર્ષના બજેટ બાદ નવું ઘર ખરીદનારા લોકોને હવે દોઢ લાખ સુધીનો ફાયજો થશે.
ઘર ખરીરદનારા લોકોને થશે ફાયદો
સરકાર નવા બજેટમાં આપશે ફાયદો
નવું ઘર ખરીદનારને થશે દોઢ લાખ સુધીનો ફાયદો
સરકાર દ્વારા વર્ષ 2022 અને 23નું બજેટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. જેથી આ બજેટમાં સામાન્ય લોકોને ઘણી આશા છે. સાથેજ અલગ અલગ સેક્ટરથી ડિમાન્ડ આવવાની શરૂ પણ થઈ ગઈ છે. સૌથી વધારે આશા આ વખતે ટેક્સ પેયર્સને છે કારણકે ગત વર્ષે સરકાર દ્વારા ટેક્સપેયર્સને કોઈ ખાસ ફાયદો આપવામાં નહોતો આવ્યો.
હોમ લોનના ટેક્સ પર ભારે છૂટ
જોકે આ વખતે સરકાર દ્વારા પીપીએફની સીમાતો વધારવામાં આવી સાથેજ હોમલોનના વ્યાજ પર પણ ભારે છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે રિયલ એસ્ટેટ તેમજ કન્સ્ટ્રકશનના સેક્ટર પડી ભાગ્યા છે. જેથી સરકાર પણ હવે તેને મજબૂત કરવા ઈચ્છે છે. જેથી હોમ લોનના ટેક્સ પર ભારે છૂટ આપવામાં આવશે.
વ્યાજ પર આપવામાં આવશે દોઢ લાખ સુધીની છૂટ
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં એફોર્ડેબલ હાઉસીંગને લઈને પહેલી વખત વ્યાજ પર 1.5 લાખ સુધીની છૂટ આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે 80EEAને લઈ 45 લાખ સુધીના મકાન પર 1.5 લાખ સુધીના હોમ લોન વ્યાજને ચુકવવાની છૂંટ આપવામાં આવશે.
24Bમાં હોમ લોનના વ્યાજ મળશે 2 લાખની છૂટ
હાલ હોમલોનમાં અલગ અલગ સેકશન પ્રમાણે 5 લાખ સુધીના પેમેન્ટ પર ટેક્સની છૂટ આપવામાં આવે છે. જોકે હવે ઘર ખરીદનારાઓને 80Cના અંતર્ગત 1.5 લાખ રૂપિયા લાખ સુધીની અમાઉન્ટ પર ટેક્સની છૂટ આપવામાં આવશે, તે સિવાય પણ 24Bમાં હોમ લોનના વ્યાજ પર વર્ષે 2 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.
ઘર ખરીદનાર લોકોને આ વર્ષે મોટો ફાયદો
ઉલ્લેખનીય છે કે હાઉસિંગ અંતર્ગત પહેલું મકાન ખરીદનારને હવે સેકશન 80EEA અંદર 45 લાખ રૂપિયા સુધીમાં ઘરના હોમ લોન ના વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવશે. જેથી જે પણ લોકોને ઘર ખરીદવું હોય તેમને આ વર્ષે સરકાર દ્વારા મોટો ફાયદો આપવામાં આવી શકે છે.