સરકારે જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) માં રાવીની સહાયક 'ઉજ્હ નદી'નું પાણી પાકિસ્તાન (Pakistan) જતા રોકવા માટે તૈયાર કરાયેલી બહુ ઉદ્દેશીય યોજના પર કામ તેજ કરી દીધું છે. જલ શક્તિ મંત્રાલય (Ministry of Jal Shakti) ના એક અધિકારીએ આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે આ કામની શરૂઆત કઠુઆ જિલ્લાથી થશે અને તેના હેઠળ 781 એમસીએમ પાણીનો સંગ્રહ કરવામાં આવશે.
ભારતે 'ઉજ્હ નદી'નું પાણી PAK જતા રોકવા માટે તૈયાર કરાયેલી બહુ ઉદ્દેશીય યોજના પર કામ તેજ કર્યું
આ યોજના અંતર્ગત કેન્દ્રની તરફથી 4892.47 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે
આ યોજનાના માધ્યમથી સિંધુ જલ સમજુતી અનુસાર ભારતના ભાગના પાણીનો વધુ સારો ઉપયોગ કરવામાં આવશે. પીએમ કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં હાલમાં જ સંપન્ન આ બેઠકમાં જળ શક્તિ રાજ્ય મંત્રી રતન લાલ કટારિયા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓએ ભાગ લીધો હતો.
તેઓએ જણાવ્યું કે પરિયોજનાના ડીપીઆરને જુલાઇ 2017માં ટેકનિકલ મંજૂરી આપી દેવાઇ છે અને તેના પર કામ ઝડપી આગળ વધારવા માટે ટેકનિકલ રિપોર્ટને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે.
મંત્રાલયના એક અન્ય અધિકારીએ જણાવ્યું કે 5,850 કરોડ રૂપિયાના ખર્ચ વાળી આ યોજનાથી ઉજ્હ નદી પર 781 એમસીએમ જલનું સંગ્રહ કરવામાં આવશે. જેનો ઉપયોગ સિંચાઇ અને વીજળી બનાવવા માટે કરવામાં આવશે. આ પાણીથી જમ્મૂ કાશ્મીરની 31,380 હેક્ટેર ભૂમિ પર સિંચાઇ અને પીવાના પાણીની આપૂર્તી થઇ શકશે.
કેન્દ્ર આ યોજના માટે 4,892.47 કરોડ રૂપિયાની કરશે મદદ
આ એક રાષ્ટ્રીય પરિયોજના છે જેને કેન્દ્રની તરફથી 4892.47 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ મદદ મુખ્યત્વે પરિયોજના સિંચાઇ સંબંધીત ભાગને લઇને કરાશે. સિંધુ નદી સિસ્ટમમાં પ્રમુખ રૂપે સિંધુ, ઝેલમ, ચેનાબ, રાવી, વ્યાસ અને સતલુજ નદીઓ સામેલ છે. ભારત અને પાકિસ્તાનમાં આ નદીઓ વાળો પ્રવાહ આવે છે, જેનો ખુબ જ નાનો ભાગ ચીન અને અફઘાનિસ્તાનમાં પણ છે.
1960માં થઇ હતી સિંધુ નદી જળ સંધિ
ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1960માં કરાયેલી સિંધુ નદી જળ સંધિ હેઠળ આ નદીની સહાયક નદીઓને પૂર્વી અને પશ્ચિમી નદીઓમાં વર્ગીકૃત કરવામાં આવી. આ વર્ગીકરણ હેઠળ સતલુજ, વ્યાસ અને રાવી પૂર્વી નદીઓ અને ઝેલમ, ચેનાબ અને સિંધુ પશ્ચિમી નદીઓ છે. સમજુતી મુજબ, કેટલાક અપવાદ છોડીને ભારત પૂર્વી નદીઓનું પાણી વિના રોકટોક ઉપયોગ કરી શકે છે.