કોરોના વાયરસ મહામારીમાં સરકાર સૌથી મોટી રાહત આપવા માટે મોટી યોજના કામ કરી રહી છે, આ દાવો ન્યૂઝ એજન્સી રોયટર્સ તરફથી કરવામાં આવ્યો છે જેમાં મોદી સરકાર કોરોનાની રસી માટે નીતિ પર કામ કરી રહી છે.
કેન્દ્ર સરકાર ભારતમાં વધતા જતા કોરોના વાયરસના કેસથી ચિંતિત છે તે માટે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોદી સરકાર કોરોના વેક્સિનનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં તૈયાર છે. ન્યૂઝ એજન્સી રૉયટર્સ મુજબ મોદી સરકાર વેક્સિનનો ખર્ચ ઉઠાવી શકે છે અને તે માટે બજેટમાં તેની જાહેરાત પણ થઇ શકે છે.
મોદી સરકાર ઉઠાવશે કોરોના વેક્સિનનો સંપૂર્ણ ખર્ચ
સૂત્રો અનુસાર મોદી સરકારે રસીકરણ માટેની યોજના પર સંપૂર્ણ કામ કરી લીધું છે અને એક અંદાજ અનુસાર એક વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવા માટે 500 રૂપિયાનો ખર્ચ આવશે અને સરકારે તે હેઠળ 500 અબજ રૂપિયાનું બજેટ નક્કી કરી રાખ્યું છે. આ બજેટના ફંડની મદદથી રસીકરણમાં કોઈ બાધા આવશે નહીં.
જનરલ બજેટમાં આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે
બીજી તરફ વારંવાર વિવિધ વેક્સિન પર કહેવાઈ રહ્યું છે કે ફેબ્રુઆરી કે માર્ચના મહિનામાં વેક્સિન આવી શકે છે જ્યારે દેશનું સામાન્ય બજેટ ફેબ્રુઆરી મહિનામાં જ આવશે એવામાં મોદી સરકાર આ જ બજેટમાં મોટી જાહેરાત કરવાના મૂડમાં છે.
પીએમ મોદીએ હાલમાં વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મુદ્દે બેઠક કરી હતી અને રાજ્યોને ટેસ્ટિંગ વધારવા માટે ટકોર કરી હતી. આ બેઠકમાં જ પીએમ મોદીએ હરિયાણાનાં મુખ્યમંત્રીએ ટોક્યા હતા. ખટ્ટર વિવિધ આંકડાઓ બતાવી રહ્યા હતા ત્યારે પીએમ મોદીએ કહ્યું કે આંકડાઓ તો પહેલા જ આવી ગયા છે તમારા પાસે આગળનો શું પ્લાન છે ? કોરોનાંને રોકવા માટે તમે હવે આગળ શું કરશો ?