કેન્દ્રની મોદી સરકાર હાલ રસોઈ ગેસ સબ્સિડી વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે દરેક આર્થિક નિર્ણય લાંબા સમયગાળાના ફાયદાને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.
બંધ થઈ શકે છે રાંધણ ગેસની સબ્સિડી
જાણો મોદી સરકાર શું લેવા જઈ રહી છે નિર્ણય
કેન્દ્રએ સબ્સિડી ટ્રાન્સફર કરવા પર લગાવી રોક
કેન્દ્ર સરકાર દેશના ગરીબ વર્ગ ઉપરાંત બાકી બધાને આપવામાં આવતી રાંધણ ગેસ સબ્સિડીને ખતમ કરવા માંગે છે. હકીકતે, કેન્દ્ર હાલ એલપીજી સબ્સિડી વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે. સરકારનું માનવું છે કે દરેક આર્થિક નિર્ણય લાંબા સમયને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જણાવી દઈએ કે એક વર્ષ પહેલાના મુકાબલે એપ્રિલ-જુલાઈ 2021 વખતે પેટ્રોલિયમ પ્રોડક્ટ પર આપવામાં આવતી સબ્સિડી 92 ટકા ઘટી ગઈ છે.
કેન્દ્રએ સબ્સિડી ટ્રાન્સફર કરવા પર લગાવી રોક
કેન્દ્ર સરકારે રાંધણ ગેસની કિંમતોમાં ઝડપથી થતા વધારા છતાં લાખો લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પર મળતી સબ્સિડી ટ્રાન્સફર કરવા પર રોક લગાવી દીધી છે. વર્ષ 2021-22 પહેલા ચાર મહિનામાં પેટ્રોલિયમ સબ્સિડી, 1,233 કરોડ રૂપિયા થઈ જે વર્ષ 2020-21ની સમાન અવધિમાં 16,461 કરોડ રૂપિયા રહી ગઈ હતી. તે સમયે ગરીબ પરીવારોને ત્રણ એલપીજી સિલિન્ડર મફત આપવામાં આવતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર એક આતંરિક મુલ્યાંકનથી સંકેત મળ્યા છે કે એલપીજી સિલિન્ડર માટે ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર, 1,000 રૂપિયાની ચુકવણી કરવી પડી શકે છે.
સરકારની પાસે છે બે વિકલ્પ
સરકારે સબ્સિડીના મુદ્દા પર ઘણી વખત ચર્ચા કરી છે. પરંતુ અત્યાર સુધી કોઈ યોજના નથી બનાવવામાં આવી. સરકારની પાસે 2 વિકલ્પ છે. પહેલો, વદર સબ્સિડીએ સિલિન્ડરની આપુર્તિ કરે. બીજો, અમુક ગ્રાહકોને સબ્સિડીનો લાભ આપવામાં આવે. રિપોર્ટ્સ અનુસાર, દરેક 10 લાખ રૂપિયા ઈનકમના નિયમો લાગુ રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજના (Ujjwala Scheme) ના દરેક લાભાર્થીઓને સબ્સિડીનો લાભ મળશે. બાકી લોકો માટે સબ્સિડી ખતમ થઈ શકે છે. જણાવી દઈએ કે આ યોજના 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગરીબી રેખાથી નીચેના પરિવારોને મફત એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવી હતી.
હાલ આવો છે સબ્સિડીનો હાલ
કોરોના વાયરસ મહામારીના કારણે 2020માં દુનિયાભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. તે સમયે માંગ ઘટવા પર ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો ગતો. તેનાથી ભારત સરકારને એલપીજી સબ્સિડીના માર્ચે મદદ મળી કારણ કે કિંમત ઓછી હતી અને સબ્સિડીને લઈને ફેરફારની જરૂર ન હતી. મે 2020ના ઘણા ક્ષેત્રોમાં એલપીજી સબ્સિડી બંધ થઈ ગઈ છે.
સબ્સિડી પર સરકારનો ખર્ચ
સબ્સિડી પર સરકારનો ખર્ચ નાણાકીય વર્ષ 2021ના વખતે 3,559 રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયા રહ્યો હતો. હકીકતે, આ ડીબીટી સ્કીમના હેઠળ આવે છે. જેની શરૂઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી. તે હેઠળ ગ્રાહકોને નોન-સબ્સિડી એલપીજી સિલિન્ડરના પુરા પૈસા ચુકવવાના હોય છે. ત્યાર બાદ સરકારની તરફથી સબ્સિડીના પૈસા ગ્રાહકના બેન્ક ખાતામાં રિફંડ કરવામાં આવે છે. કારણ તે આ રિફંડ ડાયરેક્ટ હોય છે. માટે સ્કીમનું નામ DBTL રાખવામાં આવ્યું છે.