પહેલા નાગરિકતા સંશોધન કાયદો (CAA) ત્યારબાદ રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC) અને હવે NPR પર રાજકીય ઘમાસાણ યથાવત છે. અલગ-અલગ રાજકીય પાર્ટીઓનો આરોપ છે કે, સરકાર એનપીઆર (NPR) એટલા માટે લાવવા માંગે છે કેમકે આ એનઆરસી (NRC) લાગૂ કરવાની જ એક પ્રક્રિયા છે.
CAA, ત્યારબાદ NRC અને NPR પર રાજકીય ઘમાસાણ યથાવત
સરકારે એનપીઆરમાં (NPR) કેટલાક બદલાવ કર્યા છે
NPRમાં લોકોને આ પ્રકારે સવાલો પૂછવા પર ખાસો વિવાદ થયો હતો
વિપક્ષનો એમ પણ આરોપ છે કે, એનપીઆરમાં સરકાર એવી વાતો પૂછી રહી જેને મોટાભાગના લોકો નહીં જણાવી શકે. એવામાં સરકારે એનપીઆરમાં (NPR) કેટલાક બદલાવ કર્યા છે.
હિન્દુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા સમાચાર મુજબ આ વર્ષે એનપીઆર દરમિયાન લોકોને પોતાના માતા-પિતાના જન્મસ્થાનની જાણકારી આપવા માટે જરૂરી છ સવાલ હટાવી દેવામાં આવ્યા છે. એનપીઆરમાં લોકોને આ પ્રકારે સવાલો પૂછવા પર ખાસો વિવાદ થયો હતો.
નોંધનીય છે કે, વર્ષ 2010માં યૂપીએ સરકારે એપીઆર લોન્ચ કર્યું હતું. જોકે, હવે વિપક્ષી કોંગ્રેસના નેતૃત્વમાં તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે નવા એનપીઆર (NPR) ફોર્મમાં સરકારમાં 21 સવાલો જોડ્યા છે. જેમા રહેવાસીનો આધાર નંબર, વોટર આઇડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસેન્સ નંબર અને મોબાઇલ નંબર, તથા માતાપિતાનું જન્મ સ્થાન અને રહેઠાણનું અંતિમ સ્થાન સામેલ છે. નોંધનીય છે કે, વર્ષ 2015માં તેમા આધાર નંબરને પણ જોડી દેવામાં આવ્યો.
નોંધનીય છે કે, સરકારે એમ નથી બતાવ્યું કે, લોકોની ગોપનીયતાની રક્ષા માટે એક્સ્ટ્રા પેરામીટરને વિના કોઇ દેખરેખ હેઠળ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં સ્થિત ડેટાબેઝમાં જોડવાની માંગ કેમ કરવામાં આવી છે.