જો તમને પણ ફેસબુકના સ્વામિત્વ વાળા Whatsapp એપથી ફરિયાદ છે તો તમારા માટે ખુશખબરી છે. ભારત સરકાર Whatsapp જેવી જ એક એપ તૈયાર કરી રહી છે. આ એપનો ઉપયોગ સરકારી એજન્સીઓની વચ્ચે કોમ્યૂનિકેશન માટે હશે.
એક મીડિયા રિપોર્ટસ અનુસાર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ એની જાણકારી આપી છે.
અધિકારીએ એક વાતચીતમાં કહ્યું, 'સુરક્ષાના હેતુથી અમારી પાસે ઇમેલ અને મેસેજિંની સિસ્ટમ હોવી જોઇએ જે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહે નહીં, ઓછામાં ઓછી સરકારી સંચાર માટે એવી સિસ્ટમની તત્કાલની જરૂર છે.'
એને આગળ કહ્યું કે આ વાતને લઇને ચર્ચા થઇ રહી છે કે અમારી પાસ સત્તાવાર સંચાર માટે એક સુરક્ષિત અને સ્વદેશી રૂપથી વિકસિતુ એક નેટવર્ક હોવું જોઇએ. Whatsapp જેવી જ કોઇ સરકારી એપ બનાવવાની વાત ચાલી રહી છે.
વાસ્તવમાં સરકાર એવું વિચારી રહી છે કે જે એપ પર સરકારી વાતચીત હોય એનો ડેટા સમગ્ર રીતે ભારતમાં જ સ્ટોર થાય. અધિકારીએ આગળ જણાવ્યું કે શરૂઆતમાં આ પ્રકારની એપનો ઉપયોગ સરકારી સંચાર માટે થશે અને સફળ થવા પર આગળ વ્યક્તિ માટે લૉન્ચ કરવામાં આવશે.
નોંધનીય છે કે સરકારના આ પ્લાનની માહિતી ત્યારે સામે આવી જ્યારે તાજેતરમાં જ જાસૂસીના આરોપમાં હુવાવેને અમેરિકામાં બ્લેત લિસ્ટમાં નાંખવામાં આવ્યું છે.