અન્નદાતા માટે ખુબ સારા સમાચાર આવી ગયા છે. કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. જે પ્રમાણે, ખેડૂતોની આવક વધારવા માટે અનાજના લઘુત્તમ મુલ્યાંકનમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અનાજનાં લઘુતમ મુલ્યમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
અન્નદાતા માટે ખુબ સારા સમાચાર આવી ગયા છે. કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે. જે પ્રમાણે, ખેડૂતોની આવક વધારવા માટે અનાજનાં (kharif crop) લઘુત્તમ મુલ્યાંકનમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અનાજનાં લઘુતમ મુલ્યમાં 85 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારા પ્રમાણે, અડદની દાળની MSPમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 125નો વધારો કરાયો છે. જ્યારે તલમાં 236, સોયાબિનમાં 311 રૂપિયાનો વધારો કરાયો છે. આ સિવાય મકાઈ, બાજરી, અને મગફળીની MSPમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મોદી સરકારની આ પહેલને 2020નું લક્ષ્યાંક માનવામાં આવે છે. કારણ કે, 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું કેન્દ્ર સરકારનું ઉદ્દેશ્ય છે.
I thank PM @narendramodi ji for keeping promise with farmers & tackling farm distress by increasing paddy & cotton #MSP by Rs 65 & Rs 105 per quintal.This is in line with NDA resolve to ensure 50% profit on input costs. Hike will help fulfill PM goal to double farm income by 2022
— Harsimrat Kaur Badal (@HarsimratBadal_) July 3, 2019
કેબિનેટનાં આ નિર્ણયથી કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી હરસિમરત કૌરે (Harsimrat Kaur Badal) ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીને ધન્યવાદ પાઠવ્યાં. તેઓએ ટ્વિટ કરીને જણાવ્યું કે, 'હું પ્રધાનમંત્રી મોદીજીને ધન્યવાદ પાઠવું છું કે જેઓએ ખેડૂતોને વાયદો નિભાવતા અને કૃષિ સંકટથી નિપટવા માટે અનાજ અને કપાસની એમએસપીમાં 85 રૂપિયા અને 105 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કર્યો. આ નિર્ણય ખર્ચ પર 50 ટકા લાભ સુનિશ્ચિત કરવા માટે એનડીએનાં સંકલ્પને અનુરૂપ છે. આ વધારાથી 2022 સુધી કૃષિ આવકને બે ઘણી કરવાનાં પીએમનાં લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ મળશે.'