મોદી સરકારની અધ્યક્ષતાવાળી કેબિનેટ બેઠકમાં બુધવારે ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ના વિસ્તારની મંજૂરી આપવામાં આવી છે.આ વાતની જાણકારી નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને આપી છે. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં એ લોકોને પણ અનાજ આપવામાં આવશે જેમની પાસે રાશનકાર્ડ નથી. જાણો કઈ રીતે આ યોજનાનો લાભ ગરીબોને મળશે અને જો લાભ ન મળે તો તેઓ કઈ રીતે ફરિયાદ પણ કરી શકે છે. કેન્દ્ર સરકારે થોડા દિવસો અગાઉ PMGKAYના આધારે 81 કરોડથી પણ વધારે લોકોને નવેમ્બર 2020 સુધીમાં ફ્રીમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી.
ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લઈને મોટો નિર્ણય
જો ફ્રી રાશનનો લાભ ન મળે તો આ રીતે કરો ફરિયાદ
અનાજ આપવાની આનાકાની કરવા બદલ થશે કડક કાર્યવાહી
આ નિયમોના આધારે મળી શકશે અનાજ
આ યોજનાનો લાભ એ લોકોને પણ આપવામાં આવશે જેમની પાસે રાશન કાર્ડ નથી. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ સાથે રાખવું જરૂરી છે. આ યોજનામાં ગુલાબી, પીળા અને ખાખી રાશનકાર્ડ ધારકોને 5 કિલો પ્રતિ વ્યક્તિ ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ પ્રતિ પરિવાર ફ્રીમાં આપવામાં આવશે.
આ નંબર પર કરી શકાશે ફરિયાદ
જો કોઈ કાર્ડધારકને ફ્રીમાં અનાજ લેવામાં તકલીફ પડી રહી છે તો તેની ફરિયાદ સંબંધિત જિલ્લા ખાદ્ય અને પૂર્તિ નિયંત્રક કાર્યાલયમાં કે પછી રાજ્ય ઉપભોક્તા સહાય કેન્દ્ર પર કરી શકાય છે. આ માટે સરકારે ટોલ ફ્રી નંબર 1800-180-2087, 1800-212-5512 અને 1967 જાહેર કર્યો છે. ગ્રાહક પોતાની ફરિયાદ આ નંબરો પર નોંધાવી શકે છે. અનેક રાજ્ય સરકારોએ અલગથી પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે.
પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધનમાં કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે 30 જૂને પીએમ મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું અને તેમાં પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મદદથી દેશના ગરીબોને નવેમ્બરમાં ફ્રીમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી, કોરોનાકાળમાં માર્ચ મહિનાથી મોદી સરકારે 81 કરોડ ગરીબોને ફ્રીમાં રાશન વહેંચ્યું છે. પહેલાં તેની અંતિમ તારીખ 30 જૂન રાખવામાં આવી હતી હવે તેને વધારીને નવેમ્બર 2020 કરવામાં આવી છે.
મંત્રાલયે કર્યો છે આ દાવો
કેન્દ્રીય ખાદ્ય અને આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાનના આધારે આ યોજનામાં હવે દેશના 81 કરોડથી વધારે લાભાર્થીઓને અલગથી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉં કે ચોખા અને 1 કિલો દાળ પરિવાર દીઠ ફ્રીમાં આપવામાં આવશે. આ યોજનાના આધારે એપ્રિલમાં 93 ટકા, મે મહિનામાં 91 ટકા અને જૂનમાં 71 ટકા લાભાર્થીઓને ફ્રીમાં અનાજ આપવામાં આવ્યું છે.