કોરોના કાળમાં એવી અનેક વાતો સામે આવી છે જ્યારે લોકો માનસિક સ્વાસ્થ્ય સાથે પીડિત છે. તેને ધ્યાનમાં રાખીને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગહેલોતે સોમવારે 24 કલાક અને 7 દિવસ ટોલ ફ્રી માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઈન કિરણની શરૂઆત કરી છે.
મોદી સરકારે શરૂ કરી નવી હેલ્પલાઈન
માનસિક સ્વાસ્થ્ય કાઉન્સલિંગની કરી શરૂઆત
કોરોના મહામારીના કારણે માનસિક સ્વાસ્થ્ય મુદ્દે થશે ચર્ચા
આ નંબર 1800 500 0019 છે. હેલ્પલાઈન જેને વિકલાંગ વ્યક્તિઓના અધિકારીકતા વિભાગ દ્વારા વિકસિત કરાયો છે. તેનો ઉદેશ્ય કોરોના મહામારીના કારણે લોકોમાં વધતા માનસિક સ્વાસ્થ્ય મુદ્દાના જવાબમાં પરામર્શ કરવાનો છે.
આ પ્રારંભિક સ્ક્રીનિંગ, પ્રાથમિક ચિકિત્સા, મનોવૈજ્ઞાનિક સહાયતા, સંકટ સમયે મદદ, સકારાત્મક વ્યવહાર અને માનસિક કલ્યાણ અને મનોવૈજ્ઞાનિક સંકટ જેવી માનસિક પુનર્વાસ સેવાઓ રજૂ કરાશે. આ પહેલાં ચરણનું કાઉન્સેલિંગ, સલાહ આપશે. કેટલીક ગંભીર બીમારીના દર્દીઓને કાઉન્સેલર્સ મદદ કરશે. તેમાં વિકલાંગ વ્યક્તિઓ પર વિશેષ ધ્યાન અપાશે.