નાની બચત યોજનાઓમાં પૈસા લગાવનાર લોકો માટે ખુશખબરી આવી છે. મોદી સરકારે આ યોજનાઓ પર મળતા વ્યાજમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બર ત્રિમાસીક માટે વ્યાજદરોની જાહેરાત કરી દીધી છે.
નાણા મંત્રાલયે બુધવારે એક ટ્વિટ કરીને એની જાણકારી આપી હતી. એ પ્રમાણએ હવે તમને સુકન્યા સમૃદ્ધિ યોજના પબ્લિક પ્રોવિડેન્ડ ફંડ સહિત અન્ય યોજનાઓ પર વધારે વ્યાજ મળશે.
અધિસૂચના અનુસાર હવે તમને સુકન્યા સમૃદ્ધિ યોજના પર વર્ષનું 8.5 ટકા વ્યાજ મળશે. આ પહેલા સપ્ટેમ્બર સુધી એની પર 8.1 ટકા વ્યાજ મળતું હતું.
પબ્લિક પ્રોવિડન્ડ ફંડ પર પણ હવે તમને 7.6 ટકા વર્ષનું વ્યાજ મળતું હતું. હવે એને વધારીને 8 ટકા કરી દેવામાં આવ્યું છે. કિસાન વિકાસ પત્ર પર મળતું વ્યાજ હવે 7.7 ટકા થઇ ગયું છે. પહેલા આ 7.3 ટકા હતું.
નાણામંત્રાલયની અધિસૂચના પ્રમાણએ હવે તમને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ પર 8 ટકા વ્યાજ મળશે. પહેલા એની પર 7.6 ટકા વ્યાજ મળતું હતું.
આ ઉપરાંત 4 વર્ષીય માસિક આવક ખાતા પર 7.7 ટકા સીનિયર સીટિઝન સેવિંગ્સ સ્કીમ પર 8.7 ટકા અને 5 વર્ષીય રિકરિંગ ડિપોઝીટ પર તમને હવે 7.3 ટકા વ્યાજ મળશે.