IDBI બેંકને સંકટમાંથી ઉગારવા માટે સરકારે તેમાં 9,296 કરોડ રૂપિયાની રકમ નાંખવાનો નિર્ણય કર્યો છે. આ રકમ સરકાર અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા મળીને આપવામાં આવશે. કેબિનેટથી આ પ્રસ્તાવને મંજૂરી મળ્યાં બાદ મંગળવારનાં રોજ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની જાણકારી આપી.
ઉલ્લેખનીય છે કે બેંકિંગ સેક્ટરની હાલત હાલમાં ખરાબ છે અને સરકાર આ પૂરા સેક્ટર પર ઊંડાઇથી નજર રાખી રહી છે. સરકારને હાલમાં જ રિઝર્વ બેંકે 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો જ્યાર બાદ જ આ વાતની સંભાવના મંજબૂત થઇ ગઇ હતી કે સરકાર મુશ્કેલીમાં મૂકાયેલી બેંકોને મદદ કરશે.
નાણાંમંત્રી નિર્મલા સીતારામણે થોડાંક દિવસો પહેલા જ કહ્યું હતું કે જાહેર બેંકોનાં પુનઃપ્રાપ્તિકરણ એટલે કે નવી જ રીતથી રકમ નાખવા માટે 70,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ અનુસાર IDBI બેંકને સરકાર 4,553 કરોડ રૂપિયા અને LIC 4,743 કરોડ રૂપિયા આપશે.
ગયા વર્ષે જ એલઆઈસીએ એલઆઈસીમાં 51 ટકા હિસ્સો લીધો છે અને તેમાં સરકારનો 49 ટકા હિસ્સો છે. અપેક્ષા એવી કરવામાં આવી રહી છે કે સરકારનાં આ પગલાંથી પ્રથમ વર્ષમાં જ IDBI બેંકની આવકમાં લગભગ 500 કરોડનો વધારો થશે.
હવે ખાનગી બેંક થઇ ચૂકી છે IDBI
રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ પબ્લિક સેક્ટરનાં IDBI બેંકને પ્રાઇવેટ સેક્ટરનાં બેંકની કેટેગરીમાં રાખી દીધી છે. હકીકતમાં, ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ દેવામાં ડૂબેલી IDBI બેંકને ઉગારવા માટે તેમાં 51 ટકાની ભાગેદારી લીધી છે.
IDBIની વેબસાઇટ અનુસાર તેની 1892 બ્રાન્ચ છે જ્યારે 1407 સેન્ટર છે. ઉપરાંત બેંકનાં ATM 3705 છે. બેંક સાથે લાખો ગ્રાહક જોડાયેલા છે. IDBI બેંકને RBIની તત્કાલીક સુધારાત્મક કાર્યવાહી રૂપરેખા અંતર્ગત રાખવામાં આવેલ છે. આ કંપનીઓને આપવામાં આવતી લોન અને શાખા વિસ્તાર, વેતન વૃદ્ધિ સિવાય અન્ય નિયમિત ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવે છે.