હવે માતા-પિતા અને વૃદ્ધોની સારસંભાળ માટે કેન્દ્ર સરકાર નવા નિયમો લાવવા જઈ રહી છે.
મોનસૂન સત્રમાં બિલ પર લેવાઈ શકે છે નિર્ણય
જાણો શું છે વેલફેર ઓફ પેરેન્ટ્સ અને સીનિયર સિટિઝન બિલ
માતા-પિતા અને વૃદ્ધોની રાસસંભાળ માટે હવે કેન્દ્ર સરકાર નવા નિયમો લાવશે
માતા-પિતા અને વૃદ્ધોની રાસસંભાળ માટે હવે કેન્દ્ર સરકાર નવા નિયમો લાવવા જઈ રહી છે. હકીકતે મેન્ટનેન્સ અને વેલફેર ઓફ પેરેન્ટ્સ અને સીનિયર સિટિઝન બિલ 2019 (The Maintenance & Welfare of Parents & Senior Citizens (Amendment) Bill, 2019) પર મોનસૂન સત્રમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
જણાવી દઈએ કે સોમવારથી જ મોનસૂન સત્રની શરૂઆત થઈ ચૂકી છે. વેલફેર ઓફ પેરેન્ટ્સ અને સીનિયર સિટિઝન બિલ 2019 કેન્દ્ર સરકારના એજન્ડામાં ખૂબ સમયથી હતું. મોનસૂન સત્રની શરૂઆતમાં જ કેન્દ્ર સરકાર આ બિલને લાવવા ઈચ્છે છે.
ડિસેમ્બર 2019માં પાસ કરી દેવામાં આવ્યો હતો આ નિયમ
વેલફેર ઓફ પેરેન્ટ્સ અને સીનિયર સિટિઝન બિલ કેબિનેટમાં ડિસેમ્બર 2019માં પાસ કરી દેવામાં આવ્યું હતું. આ બિલનો હેતુ લોકોને માતા-પિતા અને વરિષ્ઠ નાગરીકોને તરછોડવાથી રોકવાનો છે. બિલમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોની પાયાની જરૂરીયાતો, સુરક્ષા અને સુરક્ષાને સુનિશ્ચિત કરવાની સાથે તેમને ભરણ-પોષણ અને કલ્યાણની જોગવાઈ કરવામાં આવી છે. દેશમાં કોવિડ-19 મહામારીની બે વિનાશકારી લહેરને ધ્યાનમાં રાખીને આવનાર આ જોગવાઈ મોનસૂન સત્રમાં સંસદ દ્વારા પાસ થવા પર વરિષ્ઠ નાગરિકો અને વાલીઓને વધુ પાવર આપશે. આ બિલને સંસદમાં લાવ્યા પહેલા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
નિયમ સંબંધિત મહત્વની જાણકારી
વેલફેર ઓફ પેરેન્ટ્સ અને સીનિયર સિટિઝન બિલ કેબિનેટે ડિસેમ્બર 2019માં બાળકોની મર્યાદા વધારવામાં આવી છે. તેમાં બાળકો, પૈત્ર (તેમાં 18 વર્ષથી ઓછાને શામેલ નથી કરવામાં આવ્યા.) ને શામેલ કરવામાં આવ્યા છે. આ બિલમાં સાવકા બાળકો, અડોપ્ટ કરેલા બાળકો અને નાબાલિક બાળકોના કાયદાકીય વાલીને પણ શામેલ કરવામાં આવ્યા છે.
જો આ બિલ કાયદો બની જશે તો 10,000 રૂપિયા પેરેન્ટ્સને મેન્ટેન્સની રીતે આપવાના રહેશે. સરકારે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને પેરેન્ટ્સની ઉંમરને ધ્યાનમાં રાખીને આ અમાઉન્ટ નક્કી કરવામાં આવી છે.
કાયદામાં બાયોલોજીકલ બાળકો, અડોપ્ટ કરેલ બાળકો અને સાવકા માતા પિતાને પણ સામેલ કરવામાં આવ્યા છે.
મેન્ટેનન્સના પૈસા આપવાનો સમય પણ 30 દિવસથી ઘટાડીને 15 દિવસ કરી દેવામાં આવ્યો છે.