સામાન્ય રીતે લોકો સોનાની ખરીદી કરીને ઘરમાં રાખવાનું પસંદ કરે છે. તેનાથી લોકોને ન તો કોઈ રિટર્ન મળે છે અને ન તો અર્થવ્યવસ્થાને કોઈ ફાયદો થાય છે. હવે મોદી સરકાર પોતાની આ સ્કીમમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. જો આ સ્કીમમાં ફેરફાર થશે તો શું થશે.
મોદી સરકારની આ સ્કીમમાં આવશે બદલાવ
મોદી સરકારની નજર છે આ બાબત પર
ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં આવી શકે છે બદલાવ
સરકારની તરફથી ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમના આધારે ઘરોમાં નિષ્ક્રિય પડી રહેલા સોના પર રિટર્ન આપવામાં આવે છે. પરંતુ આ સિવાય પણ લોકો આ યોજનામાં વધારે રસ દેખાડી રહ્યા નથી. એવામાં હવે સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં બદલાવ લાવવાની તૈયારીમાં છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આપ્યું આ નિવેદન
મળતી માહિતી અનુસાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં સુધારાને લઈને જ્વેલકી ઈન્ડસ્ટ્રીમાં સૂચન આપવાનું કહ્યું છે. ગોયલે કહ્યું કે મને લાગે છે કે લોકોની તિજોરીમાં મોટા પ્રમાણમાં સોનું પડ્યું છે. તેનાથી ન તો કોઈ રિટર્ન મળે છે અને ન તો અર્થવ્યવસ્થાને કોઈ લાભ થાય છે.
ઘરમાં પડેલા સોનાને બેંકમાં જમા કરોઃ પીયૂષ ગોયલ
ગોયલે વધુમાં કહ્યું કે હું તમારી પાસેથી આશા રાખીશ કે આવી યોજના બનાવવામાં મદદ કરે જેનાથી આ યોજનાના પ્રત્યે આકર્ષણ વધે અને લોકો ઘરમાં પડેલા સોનાને બેંકમાં જમા કરે. તેઓએ કહ્યું કે અમારો હેતુ નિષ્ક્રિય પડી રહેલા સોનાને બેંકમાં જમા કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે અને સાથે તેની પર આવક પ્રાપ્ત કરવાનો છે.
2015માં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની શરૂઆત કરી હતી
ગોયલના આધારે સોનાના ઉત્પાદક કાર્યોમાં ઉપયોગથી આયાતના કારણે વિદેશી મુદ્રા ભંડાર પર પડી રહેલા બોજાને ઓછો કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે સરકારે 2015માં ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમની શરૂઆત કરી હતી. જો કે રિટર્ન ઓછું અને સુરક્ષા ચિંતાઓના કારણે યોજનાને સારો પ્રતિસાદ મળ્યો નથી. યોજનાના આધારે બેંક નક્કી સમય માટે ગ્રાહકોને સોનું જમા કરવાની પરમિશન આપે છે. તેની પર 2.25 ટકાથી 2.50 ટકા સુધીનું વ્યાજ મળે છે. સ્કીમના આધારે ઓછામાં ઓછું 30 ગ્રામ 995 શુદ્ધતાવાળું સોનું બેંકમાં રાખવાનું રહેશે. તેમાં બેંક ગોલ્ડ બાર, સિક્કા, ઘરેણા (સ્ટોન સિવાયના અને મેટલ વિનાના) મંજૂર કરશે.