દેશના ખેડુતો રસ્તાઓ પર ઉતર્યા છે. તેઓ સંસદ દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ્દ કરાવવા પર મક્કમ છે. વિપક્ષ પણ પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે. આ આંદોલનની વચ્ચે, કેન્દ્ર સરકારે આ વખતે શિયાળુ સત્ર નહીં બોલાવવાનું નક્કી કર્યું છે.
કોરોનાને કારણે રદ્દ કરાયું સંસદનું શિયાળુ સત્ર
વિપક્ષે સરકાર પર કર્યા આકરા પ્રહાર
કહ્યું- ખેડૂત આંદોલનને કારણે ડરી ગઇ સરકાર
ઉલ્લેખનીય છે કે, સરકારના આ પગલા પર વિપક્ષે હુમલો કર્યો છે. તેઓ સરકારના આ નિર્ણયને ખેડૂત આંદોલન પર ચર્ચાના ડરની અસર ગણાવી રહ્યા છે. બીજી તરફ સરકાર કોરોનાને સત્ર ન બોલાવવા પાછળનું કારણ જણાવી રહી છે.
સંસદીય બાબતોના પ્રધાને આપ્યું નિવેદન
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે, 'કોરોના મહામારીમાં શિયાળાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજેતરમાં દિલ્હીમાં કોરોના કેસમાં વધારો થયો છે. અત્યારે આપણે ડિસેમ્બરની મધ્યમાં છીએ અને ટૂંક સમયમાં કોરોના રસીની આશા રાખવામાં આવી રહી છે.
કોરોનાને કારણે નહીં યોજાય શિયાળું સત્ર
સરકારે શિયાળું સત્ર નહીં યોજવા પાછળનું મુખ્ય કારણ કોરોના મહામારી દર્શાવ્યું છે ત્યારે વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસે કહ્યું કે, જ્યારે કોરોના કાળમાં બાકીના કામ થઇ રહ્યા છે તો સત્ર કેમ બોલાવવામાં આવી રહ્યું નથી.
રણદીપ સુરજેવાલાએ સરકાર પર સાધ્યું નિશાન
કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ આ મામલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મોદી જી કોરોના કાળમાં NEET/JEE તથા IASની પરીક્ષા યોજવી શક્ય છે, શાળાઓમાં વર્ગ, યુનિવર્સિટીમાં પરીક્ષાઓ શક્ય છે. બિહાર અને બંગાળમાં ચૂંટણી રેલીઓ શક્ય છે. તો પછી સંસદનું શિયાળુ સત્ર કેમ નથી? જ્યારે સંસદમાં જાહેર પ્રશ્નો ઉભા થતા નથી, તો લોકશાહીનો અર્થ શું હશે?
Modi ji,
Decimation of “Parliamentary Democracy” is complete.
NEET/JEE exams can be held during COVID.
Schools can be opened, Universities can hold exams.
વિરોધપક્ષ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે સરકારે સત્ર રદ કરવાનો નિર્ણય લેતા પહેલા ચર્ચા પણ કરી નથી. રાજ્યસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ જયરામ રમેશે કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ સાથે આ મુદ્દે ચર્ચા થઈ નથી.
સરકાર માટે સૌથી ખતરનાક સ્થળ છે સંસદ : શિવસેના
શિવસેનાએ ખેડૂત આંદોલન અંગે ભાજપનો આકરો વિરોધ કરી રહેલા સંસદનું શીત સત્ર નહીં બોલાવવા બદલ સરકારને ઘેરી લીધી છે. પક્ષની રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કર્યું હતું કે, ભારત સરકારના મત મુજબ ચૂંટણી યોજાઈ શકે છે, ચૂંટણીઓ થઈ શકે છે, શાળાઓ ખોલવામાં આવી શકે છે, કોલેજ પણ થઈ શકે છે, હોટલ અને રેસ્ટોરન્ટ પણ ખુલી શકે છે. ફિટનેસ સેન્ટર્સ પણ ખોલવામાં આવી શકે છે, પરંતુ સરકારને સૌથી વધુ ખતરનાક લાગતું એક માત્ર સ્થળ સંસદ છે, તેથી સત્ર નહીં.