ભારત સરકારના National Statistical Office અને Ministry of Statistics & Programme Implementation વદે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ભારતમાં પીવાના પાણી, સ્વચ્છતા, આરોગ્ય અને આવાસની સ્થિતિના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. દેશ માટે ખુશીના સમાચાર એ છે કે લગભગ તમામ ક્ષેત્રોના આંકડા આગલા વર્ષો કરતા સુધર્યા છે.
નરેન્દ્ર મોદીની સરકારે 2014થી કેટલીક મુખ્ય યોજનાઓ વડે ચોક્કસ ક્ષેત્રોને ટાર્ગેટ કર્યા હતા. આ યોજનાઓના મિશ્રિતથી સારા પરિણામો હવે દેખાઈ રહ્યા છે. NSOનો આ રિપોર્ટ ડિસેમ્બર 2018 સુધીની પરિસ્થિતિના આંકડા દર્શાવે છે.
આ આંકડાને Scroll ન્યુઝ એજન્સી વડે 1973થી આજ સુધીના આંકડાઓ સાથે આલેખ સ્વરૂપે સરખાવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ સુવિધાઓ શહેર કરતા અને ગ્રામીણ વિસ્તારોમાં વધુ દુર્લભ હોય છે જેને ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચાડવી એ સરકારની ફરજ છે.
ટોઇલેટ્સ
2 ઓક્ટોબરે આ વર્ષે સ્વચ્છ ભારત યોજનાના 5 વર્ષ બાદ PM મોદીએ કહ્યું હતું કે ગ્રામીણ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ગયો છે. 2012 થી 2018 વચ્ચે ભારતના ગ્રામીણ વિસ્તારમાં શૌચાલયોની સંખ્યા 32% થી વધીને 63% થઇ છે. ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલયની સુવિધા હોય (બીજા ઘર સાથે જોડાયેલું શૌચાલય) તેવા ઘરો 71% છે જે 6 વર્ષ પહેલા ફક્ત 40.6% હતા જે સારી વૃદ્ધિ છે.
જો કે એક સ્વતંત્ર સર્વેના અભ્યાસ પ્રમાણે શૌચાલયની સુવિધા હોય તેવા 23% લોકોએ કહ્યું હતું કે તેઓ હજી ખુલ્લામાં હાજતે જવું પસંદ કરે છે. આમ સરકારના ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ જવાના દાવા હજી પ્રશ્નાર્થ ધરાવે છે.
LPG ગેસ
રસોઈ માટે ગ્રામીણ વિસ્તારમાં LPG (liquified petroleum gas) વાપરતા લોકોની સંખ્યા 2011-12માં ફક્ત 15% હતી જે આશ્ચર્યજનક રીતે વધીને 48% જેટલી નોંધાઈ છે. શહેરમાં પણ LPGનો વપરાશ વધ્યો છે. આમ દેશમાં કુલ 61% ભારતીયો હવે રસોઈના બળતણ માટે LPGનો વપરાશ કરે છે.
દેશમાં LPG કનેક્શન્સ વધવાનો દર 2009 થી 2011 સુધી 1.75% હતો. આ દરે 2018 સુધીમાં 27.25% ગ્રામીણ ઘરોમાં LPG હોવા જોઈતા હતા. જો કે આ ટકાવારી 48.3% હતી જે દર્શાવે છે કે LPG કનેક્શન્સ વધવાનો દર 1.75%થી ઘણો વધુ હશે.
જો કે નવા LPG સિલિન્ડરનું વેચાણ કનેક્શન જેટલું વધારે નથી જે દર્શાવે છે કે કનેક્શન લઇને LPG સિલિન્ડર વપરાઈ જાય પછી ઘણા લોકો નવું સિલિન્ડર લેવાની તસ્દી લેતા નથી.
પીવાનું પાણી
આ મુદ્દે સરકારને નિરાશા સાંપડી છે તેમ કહી શકાય. 2012માં નજીકની પરિમિતિમાં પીવાનું પાણી મળી રહે તેવા 46% ગ્રામીણ ઘરો હતા. આ આંકડો 2018માં 58% છે.
આજે પણ 11.5% ગ્રામીણ ઘરોના 200 મીટર સુધીના વિસ્તારમાં ચોખ્ખું પાણી ઉપલબ્ધ નથી. જયારે આ આંકડો શહેરમાં આશરે 6% જેવો છે.
વીજળીની ઉપલબ્ધતા
2018માં 94% ગ્રામીણ લોકોએ તેમના ઘરોમાં વીજળી ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. 2012માં આ આંકડો 80% હતો.
પાકા મકાનો
NSOની વ્યાખ્યા મુજબ જે ઘરમાં છાપરું અને દીવાલો સિમેન્ટ, પથ્થર, ઈંટો, ટાઇલ્સ અને સ્ટીલની શીટ્સ વડે ઘરોને પાકા ઘરો કહે છે. આ ઘરોની સંખ્યા 2012માં 66%થી વધીને 2018માં 77% થઈ ગઈ છે.
નોંધનીય છે કે 2015ની પ્રધાનમંત્રી આવાસ યોજના અનુસાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ઓછા ભાવે આવાસ મળી રહે છે.