દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે તેની સારવાર પણ મોંઘી બની છે. સરકારી હોસ્પિટલમાં દરેક બેડ ભરાઈ ચૂક્યા છે એવામાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર સિવાય લોકો પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. પ્રાઈવેટ હોસ્પિટલોમાં સારવાર કરાવવું મોંઘું બન્યું છે. એવામાં જો તમે સરકારની તરફ નજર કરશો તો કેન્દ્ર સરકારે શરૂ કરેલી આયુષ્માન ભારત યોજના તમારી મદદ કરશે. આ યોજનાના આધારે દરેક પરિવાર વર્ષમાં 1 વાર 5 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં કરાવી શકે છે. જો તમે આ યોજનામાં સામેલ છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો.
મોદી સરકારની આયુષ્માન ભારત યોજના કરશે મદદ
5 લાખ રૂપિયા સુધીની સારવાર વર્ષે મળશે ફ્રી
જો તમે આ યોજનામાં સામેલ છો તો લઈ શકશો લાભ
વર્ષમાં એક વાર 5 લાખ રૂપિયા સુધી ફ્રીમાં કરાવી શકાય છે સારવાર
આ યોજનાના આધારે દરેક પરિવાર વર્ષમાં એક વાર 5 લાખ રૂપિયા સુધી ફ્રીમાં સારવાર કરાવી શકે છે. આ માટે લાભ મેળવનારાને ઈ-કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડની મદદથી કેશલેસ સર્વિસનો લાભ મેળવી શકાય છે. આ યોજનાનો લાભ ત્યારે મળશે જ્યારે તમે તેમાં સામેલ હશો.
આ રીતે ચેક કરો તમારું નામ
આયુષ્માન ભારત યોજનામાં નામ ચેક કરવા માટે સૌ પહેલાં તમારે https://www.pmjay.gov.in/ પર જવાનું રહેશે. સાઈટ પર તમને Am I Eligibleની લિંક દેખાશે. તેની પર ક્લિક કરો. લિંક પર ક્લિક કરતાંની સાથે એક નવું પેજ ખૂલશે,અહીં તમારે તમામ ડિટેલ્સ ભરવાની રહેશે. તમામ જાણકારી ભર્યા બાદ તમને મોબાઈલમાં એક ઓટીપી આવશે. તેને ભરો અને ફોર્મ સબ્મિટ કરો. ત્યારબાદ તમે રાજ્ય સિલેક્ટ કરો.
હવે અન્ય કેટલીક કેટેગરી દેખાશે. તેમામં તમે નામ ચેક કરવા ઈચ્છો છો તો તેની પર ક્લિક કરો. તેમાં તમારું નામ, HHD નંબર, રાશનકાર્ડ અને મોબાઈલ નંબરના ઓપ્શન હશે. તેમાં ક્લિક કરીને તમે જાણી શકો છો કે આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ છે કે નહીં.
જો તમે ઓનલાઈન ચેક કરવા ઈચ્છતા નછી તો તમે ફોન કરીને પણ ચેક કરી શકો છો, આ માટે તમારે 14555 અને 1800-111-565 પર કોલ કરીને તપાસ કરવાની રહે છે.