કેન્દ્રની મોદી સરકાર હવે નાના વેપારીઓ માટે મોટા રાહત પેકેજની તૈયારી કરી રહી છે. એક જાણકારી અનુસાર સરકાર નાના વેપારીઓને મફતમાં દુર્ઘટના વીમાની સુવિધા આપવાની તૈયારી કરી રહી છે આ પ્રસ્તાવ માટે સહમતી મળી ચૂકી છે. દુર્ઘટના વીમાની રકમ 5-10 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. જોકે વેપારીઓના ટર્નઓવરના આધારે વીમાની રકમ નક્કી કરવામાં આવશે નાના વેપારીઓને ઇન્સ્પેક્ટર રાજથી છૂટકારો આપવા માટે પણ ખાસ વ્યવસ્થા કરશે.
રાહત 1:
- નાના વેપારીઓને સસ્તા વ્યાજદરે લોન આપશે.
- વ્યાજમાં 2%ની છૂટ આપવામાં આવી શકે છે.
- GST હેઠળ રજિસ્ટર્ડ નાના કારોબારીઓને ફાયદો મળશે.
- છૂટનો ફાયદો મેળવનારા વેપારીઓના ટર્નઓવરની અધિકતમ સીમા નક્કી હશે.
- મહિલા વેપારીઓને વધારે ફાયદો મળશે.
રાહત 2:
- નાના વેપારીઓને મફત દુર્ઘટના વીમાની સુવિધા આપવાનો પ્રસ્તાવ કર્યો છે.
- દુર્ઘટના વીમાની રકમ 5-10 લાખ રૂપિયા હોઇ શકે છે.
- વેપારીઓના ટર્નઓવરના આધારે વીમાની રકમ નક્કી કરવામાં આવશે.
-GST હેઠળ રજિસ્ટર્ડ વેપારીઓને જ વીમો મળશે.
રાહત 3:
- નાના વેપારીઓને વૃદ્ધાવસ્થા પેન્શન સુવિધા મળી શકે છે.
- ટ્રેડર્સ વેલફેર બોર્ડની રચનાનો પ્રસ્તાવ છે.
- સરકાર અને વેપારીઓના પ્રતિનિધિ બોર્ડમાં સામેલ થશે.
- વેલફેર બોર્ડ દ્વારા પેન્શનની ચૂકવણી થઇ શકે છે.
- હાલની સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળ નાના વેપારીઓને લાવી શકાય છે.
રાહત 4:
- ડિજિટલ ટ્રાન્જેક્શન પર બેંક ચાર્જ પર છૂટ મળી શકે છે.
- Rupay ડેબિડ કાર્ડ BHIM અને UPIથી થતાં ડિજિટલ ટ્રાન્જેક્શન પર છૂટ આપવાની તૈયારી છે.
- કમ્પ્યૂટર અને આધુનિક ટેક્નિકના ઉપયોગ માટે સસ્તી લોન મળી શકે છે