ગત અઠવાડીયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વની અપૂરતીતા અંગે કર્મચારી અને તાલીમ વિભાગે ડેટા એકત્રિત કરવા માટે પત્ર લખ્યો હતો.
રાજ્યસભામાં ડેટા રજૂ કરાયા
કેન્દ્ર સરકારના કેટલા પદ પર એસસી, એસટી અને ઓબીસી ઉમેદવાર
કેટલા પદો ખાલી છે તેને લઈને આંકડા સામે આવ્યા
ગત અઠવાડીયે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વની અપૂરતીતા અંગે કર્મચારી અને તાલીમ વિભાગે ડેટા એકત્રિત કરવા માટે પત્ર લખ્યો હતો. ડીઓપીટી દ્વારા જાહેર કરવામાં આવેલા આ સર્કુલરમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસનો હવાલો આપ્યો છે.
સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો
કેન્દ્ર સરકારના કર્મચારીઓની વચ્ચે વિવિધ સામાજિક શ્રેણીઓના પ્રતિનિધિત્વના આંકડા પર કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ વર્ષે કેટલીય વાર સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. 17 માર્ચે તેમણે રાજ્યસભામાં બતાવ્યું હતું કે, 43 વિભાગો અને સરકારી કાર્યાલયોમાં રેલ્વે અને પોસ્ટ વિભાગ જેવા સૌથી મોટા કેન્દ્ર સરકાર હસ્તક છોડીને કેબિનેટ સચિવાલય, યુપીએસસી અને ચૂંટણી પંચ સામેલ હતું.
આટલા પદો પર કર્મચારીઓ
ગ્રુપ એથી ગ્રુપ સીના કર્મચારીઓની કુલ સંખ્યા 5.12 લાખ છે. તેમાં 17.70 ટકા એસસી, 6.72 ટકા એસટી, 20.26 ટકા ઓબીસી અને 0.02 ટકા EWS છે. તો વળી ગ્રુપ એમાં તેમાંથી ઉચ્ચ સ્તર પર, એસસી પ્રતિનિધિત્વ ફક્ત 12.86 ટકા, એસટીનું 5.64 ટકા અને ઓબીલીનનું 16.88 ટકા છે. જેમાં સમુદાય માટે અનામત ક્રમશ: 15 ટકા, 7.5 ટકા અને 27 ટકા છે.
31 માર્ચના રોજ રાજ્યસભામાં તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે, 91 અધિક સચિવોમાંથી એસસી/એસટી અને ઓબીસી સમુદાયથી સંબંધિત અધિકારીઓની સંખ્યા ક્રમશ: 10 અને 4 છે. તો વળી કેન્દ્રીય સ્ટાફિંગ યોજના અંતર્ગત વિવિધ મંત્રાલયો/ વિભાગોમાં 245 સંયુક્ત સચિવોમાંથી અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ સમુદાયના અધિકારીઓની સંખ્યા ક્રમશ: 26 અને 29 છે.
રાજ્યસભામાં આંકડા રજૂ કર્યા
જિતેન્દ્ર સિંહે 3 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં જાણકારી આપી હતી કે, 1 માર્ચ 2020 સુધી કેન્દ્ર સરકારના 8,72,243 પદ ખાલી હતા. તો વળી 1 માર્ચ 2019 સુધી તેની સંખ્યા 9,10,153 હતી. 2018-19 અને 2020-21ની વચ્ચે 2.65 લાખથી વધારે કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જેમાં યુપીએસસી દ્વારા 13,238, SSC દ્વારા 1,00,330 અને રેલ્વે ભરતી બોર્ડ દ્વારા 1,51,900 સામેલ છે.
17 માર્ચે રાજ્યસભામાં જાણકારી આપતા જિતેન્દ્ર સિંહે 1 જાન્યુઆરી 2021 સુધી 10 કેન્દ્રીય વિભાગો માટે ડેટા રજૂ કર્યા હતા. જેમાં રક્ષા ઉત્પાદન, રેલ્વે, નાણાકીય સેવાઓ, પોસ્ટ વિભાગ, રક્ષા, આવાસ અને શહેરી મામલા, ગૃહ બાબતો, પરમાણુ ઉર્જા, રેવન્યૂ અને શિક્ષણ વિભાગ સામેલ છે. સિંહે કહ્યું કે, આ 10 વિભાગોમાં કેન્દ્ર સરકારના 90 ટકાથી વધારે કર્મચારીઓ છે.
કેબિનેટ સચિવાલયમાં અનામત અને અન્ય શ્રેણીઓ વચ્ચે ભારે અંતર જોવા મળ્યું
ગ્રુપ એમાં 81 અધિકારીઓમાંથી 6 એસસી, 1 એસટી, 2 ઓબીસી છે. તો વળી ગ્રુપ બીમાં 109 અધિકારીઓમાંથી 6 એસસી, 6 એસટી, 20 ઓબીસી છે.
લોક ઉદ્યમ વિભાગ- ગ્રુપ એના 30 અધિકારીઓમાંથી 5 એસસી છે અને એસટી તથા ઓબીસી એકેય નથી.
નીતિ આયોગ- ગ્રુપ એ અંતર્ગત 193 અધિકારીઓમાંથી 19 એસસી, 13 એસટી, 15 ઓબીસી છે.