કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી, જેમાં સરકારે ચાલુ વર્ષ 2019 - 20 (જુલાઈ-જૂન) માટે આગામી રવી સીઝનના પાકનો એમએસપી વધારવાનો નિર્ણય લીધો છે.
દિવાળી પહેલા ખેડૂતોને મોદી સરકારની ભેટ
ટેકાના ભાવમાં કર્યો વધારો
રવી પાકની MSP 50 ટકાથી વધારી 109 ટકા કરાઇ
હવે એમએસપી એટલે કે લઘુતમ ટેકાના ભાવમાં થયેલા વધારાથી ખેડુતોને મોટો ફાયદો થશે. ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. 85 નો વધારો કરવામાં આવ્યો છે. સરકારે કઠોળના એમએસપીમાં 325 રૂપિયા વધારો કર્યો છે.
ખેડૂતોને મળી રાહત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની આર્થિક મામલાની સમિતિ(CCAI) ની બેઠકમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રવી પાકને MSP માં વધારાની આ ભલામણ સીએસીપી એટલે કે કૃષિ ખર્ચ અને ભાવો પંચ દ્વારા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકથી ખેડૂતોને મોટી આશા હતી અને તેમને મોટી રાહત મળી છે.
આટલો કર્યો MSP
ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 1840 થી વધીને રૂ. 1,925 થયા છે. તેમાં 85 રૂપિયાનો વધારો થયો છે. જવના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલમાં 85 રૂપિયા વધારો થયો છે. અગાઉ તે પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,440 હતું, જે હવે ક્વિન્ટલ રૂ. 1525 રૂપિયા થયું મસૂરનો એમએસપી પણ પ્રતિ ક્વિન્ટલ રૂ. 325 વધી ગયો છે, ત્યારબાદ તે વધીને રૂ .4,800 થઈ ગયો છે. જ્યારે અગાઉ રૂ .4,475 હતું.
શું છે રવીપાક ?
આપને જણાવી દઇએ કે, ઓક્ટોબરથી માર્ચની વચ્ચે આવતા તમામ પાકને રવી પાક કહેવામાં આવે છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં રવી પાકની લણણી કરવામાં આવે છે. આ સમય દરમિયાન પાકને સિંચાઈ માટે ઓછું પાણીની જરૂર પડે છે.