સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ભારતીયોના જમા રૂપિયા 20 હજાર કરોડને પાર
ભારત સરકારે એવા રિપોર્ટને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં ભારતીયોના જમા રૂપિયા 20 હજાર કરોડને પાર થયા છે. ખરેખર, સરકારે શનિવારે એવા અહેવાલોને ફગાવ્યાં છે. જેમાં સ્વિત્ઝરલેન્ડમાં ભારતીયોના કથિત રીતે કાળાનાણાં રાખવાનો આરોપ છે અને જણાવ્યું છે કે તેમણે સ્વિસ અધિકારીઓ પાસેથી જમા રૂપિયા અંગે માહિતી સત્યાપિત કરવા માટે તેમનો સંપર્ક કર્યો છે અને સુચનાની માંગ કરી છે.
સ્વિત્ઝરલેન્ડની કેન્દ્રીય બેંક દ્વારા જાહેર કરાયો વાર્ષિક ડેટા
સ્વિત્ઝરલેન્ડના કેન્દ્રીય બેંક તરફથી ગુરૂવારે જાહેર કરાયેલા વાર્ષિક ડેટા મુજબ, વર્ષ 2020 દરમ્યાન સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકો, સંસ્થાઓ અને કંપનીઓના કાળાનાણાંમાં વધારો થયો છે. એટલેકે 2.55 અબજ સ્વિસ ફ્રેન્ક (લગભગ 20,700 કરોડ રૂપિયા) જમા છે. 2019માં સ્વિસ બેંકોમાં કાળુનાણું 6628 કરોડ રૂપિયા હતું. એટલેકે વર્ષ 2020માં સ્વિસ બેંકોમાં કુલ જમા રૂપિયા વર્ષ 2019ની તુલનામાં વધીને 286 ટકા થયા છે. કુલ જમા રકમ 13 વર્ષમાં સૌથી વધારે છે, જે વર્ષ 2007 બાદ સૌથી સર્વોચ્ચ સ્તરે છે.
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર માર્યા ચાબખા
જોકે, કોંગ્રેસે સ્વિસ બેંકોમાં ભારતીય નાગરિકોના વ્યક્તિગત રૂપિયા અને કંપનીઓના રૂપિયા 2020માં વધીને 20,700 કરોડ રૂપિયાથી વધતા શુક્રવારે કેન્દ્ર સરકાર પર ચાબખા માર્યા છે અને જણાવ્યું છે કે સરકાર શ્વેત પત્ર લાવી દેશવાસીઓને જણાવે કે આ રૂપિયા કોના છે અને વિદેશી બેંકોમાં જમા થયેલું કાળુનાણું પાછું લાવવા માટે સરકારે શું પગલા ઉઠાવવામાં આવ્યાં છે?