કેન્દ્ર સરકારે ચીનના નબળી ક્વોલીટીના ઉત્પાદનો પર કમરકસવાની કવાયત શરુ કરી છે . સરકારે ઉદ્યોગ જગત પાસે ઉત્પાદનોનું વિવરણ માંગ્યું છે. જોકે સૂત્રોનું કહેવું છે કે આ કવાયદનો હેતું ઘરેલું ઉત્પાદનોને વધારવાનો છે. સૂત્રોના જણાવ્યાનુંસર પ્રધાનમંત્રી કાર્યાલયમાં હાલમાં જ ચીન પર આયાત નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભર ભારતને વધારવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ચૂકી છે.
ચીનના નબળી ક્વોલીટીના ઉત્પાદનો પર કમરકસવાની કવાયદ શરુ
ચીન પર આયાત નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભર ભારતને વધારવા માટે બેઠક
સરકારે ઉદ્યોગ જગત પાસે ઉત્પાદનોનું વિવરણ માંગ્યું છે
ચીનથી આયાત થનારા ઉત્પાદનો કંઈક આ પ્રકારે છે.
દિવાલ ઘડિયાર, ઈન્જેક્શનની શીશિયો, કાચનું છડ, ટ્યૂબ, વાળની ક્રીમ,શેમ્પુ, ફેસ પાઉડર, આંખો અને હોઠોના મેકઅપની તૈયારીનો સામાન, છાપકામની શાહી, પેન્ટ અને વાર્નિશ અને કેટલાક તમાકુ ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે.
ઉદ્યોગ મંત્રાલયને આ વિવરણ મોકલવામાં આવશે
સરકારે ઉદ્યોગ જગત પાસેથી 2014થી 2018-19ની વચ્ચે આયાતનું વિવરણ માંગ્યુ હતું. સરકારે ચીનથી આયાતની સાથે ભારતમાં બનનારા ઉત્પાદનોનું વિવરણ અને સ્થાનીક કિંમત પુછી હતી. ઘેરુલુ ક્ષમતા, નિશુલ્ક વ્યાપાર સમજૂતી હેઠળ થનારા આયાત અને ઈન્વર્ટિડ ટ્યૂટીના મુદ્દાની જાણકારી પણ માંગી છે. ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાનુંસાર જલ્દી જ વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને વિવરણ મોકલવામાં આવશે.
હરિણાયાની ચીની કંપનીઓના 825 કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ થયો
હરિયાણા સરકારના યમુનાનગર અને ખેદઢ થર્મલ પ્લાન્ટ માટે ચીની કંપનીઓને આપવામાં આવેલો ખેદઢ 825 કરોડનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો છે. ખેદઢમાં 539 કરોડ અને યમુનાનગરમાં 282 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું હતુ.