મોદી સરકાર ખેડૂતોની આવકને વધારવાની દિશામાં એક નવું કામ કરી રહી છે. એગ્રીક્લચર પ્રોડક્ટ્સને વેગ આપવા માટે આ પ્લાનમાં ભાર મૂકાયો છે.
ખેડૂતો માટે સરકાર બનાવી રહી છે મોટો પ્લાન
એગ્રીક્લચર પ્રોડક્ટ્સને વેગ આપવા માટે કરાઈ રહ્યો છે વિચાર
PM મોદીના સંસદીય ક્ષેત્રમાં થયું 'મંથન'
મોદી સરકારે હવે કૃષિ ફસલને એકસપોર્ટને વધારો આપવાની તૈયારી કરી છે. આ વિચારની સાથે બેઠક યોજાઇ અને કૃષિ અને એગ્રીકલ્ચરલ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કિસાન ઉત્પાદક સંગઠન અને વ્યાપારીઓ, નિર્યાત કરનારા, કૃષિ વૈજ્ઞાનિકો, ઉત્તરપ્રદેશ સરકાર અને અન્ય સંસ્થાના સહયોગથી વારાણસીમાં બેઠક યોજી અને એક્સપોર્ટની સંભાવના પર વિચાર કર્યો છે.
200થી વધારે ખેડૂતો થયા છે સામેલ
આ બેઠકમાં વારાણસીના 200થી વધારે ખેડૂતોએ ભાગ લીધો હતો અને સાથે કૃષિ વૈજ્ઞાનિક અને પ્રમુખ સંસ્થાઓએ અધિકારીઓના ક્ષેત્રથી કૃષિ ઉત્પાદકને એક્સપોર્ટને વેગ આપવાની સાથે સાથે ખેડૂતો દ્વારા વિશ્વ સત્રે માન્યતા પ્રાપ્ત સારી કૃષિ પદ્ધતિઓના પાલનને માટે જાણકારી આપી છે. ખેડૂતોને જીએપી ઈમ્પ્લીમેન્ટેન્શ, કીટાણુ મુક્ત ખેતી નક્કી કરવાની સાથે તાજા ફળો અને શાકમાં રોગની ઓળખ, પૂર્વી અને ઉત્તર પ્રદેશથી કૃષિ એક્સપોર્ટને વેગ આપવાની રણનીતીની ટેકનિક પર પણ જાણકારી એકત્રિત કરી છે.
કેળાના એક્સપોર્ટ પર પણ અપાયો હતો ભાર
આ બેઠકમાં આઈસીએમઆર- સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સબ ટ્રોપિકલ હોર્ટિકલ્ચર, આઈસીએઆર- ભારતીય મૃદા લિજ્ઞા સંસ્થાન અને આઈસીએઆર - ભારતીય વનસ્પતિ અનુસંધાન સંસ્થા, આઈઆરઆરઆઈ - દક્ષિણ એશિયા ક્ષએત્રીય કેન્દ્ર, નરેન્દ્ર દેવ કૃષિ અને પ્રૌદ્યોગિકી વિશ્વવિદ્યાલય, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ રાજ્ય કૃષિ બાગવાની વિભાગના કૃષિ વૈજ્ઞાનિકો અને પ્રમુખ સંસ્થાના અધિકારીઓએ ભાગ લીધો. કેળાના એક્સપોર્ટ પર એક ખાસ સત્રનું આયોજન કરાયું તેમાં એપીડા રિજસ્ટર્ડ એક્સપોર્ટરના પ્રતિનિધિએ ખેડૂતોને કેળાના પ્રોસેસિંગને માટેની જાણકારી આપી હતી.