કેન્દ્ર સરકાર ઓબીસીની યાદી પર રાજ્યોની શક્તિને પુન: સ્થાપિત કરવા માટે કાયદો બનાવવા અંગે વિચાર-વિમર્શ કરી રહી છે. જેના માટે સંસદના વર્તમાન સત્રમાં 127મુ બંધારણ સુધારા વિધેયક લાવી શકે છે.
કેન્દ્ર સરકાર ઓબીસીની યાદી પર રાજ્યોની શક્તિને કરશે પુન:સ્થાપિત?
સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષે 5મેના રોજ મરાઠા આરક્ષણને લઇને આપેલા એક ચુકાદામાં રાજ્ય સરકારો પાસે ઓબીસીની ઓળખ કરવા અને તેને સુચિત કરવાનો અધિકાર પાછો લીધો હતો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની રિવ્યુ અરજીને ફગાવી હતી
જો એક વખત સંસદે બંધારણના અનુચ્છેદ 342-એ અને 366 (26) સીના સંશોધન પર મ્હોર લગાવી દીધી તો ત્યારબાદ રાજ્યોની પાસે ફરીથી ઓબીસી યાદીમાં જ્ઞાતિઓને સુચિત કરવાનો અધિકાર રહેશે. મહત્વનું છે કે, ગયા મહિને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની આ રિવ્યુ અરજીને ફગાવી દીધી હતી. જેમાં સરકારે કોર્ટના 5મેના અનામત અંગેના નિર્ણય પર પુન:વિચાર કરવા વિનંતી કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અરજીને ફગાવી
ગયા મહિને સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 324Aની વ્યાખ્યાના આધારે મરાઠી સમુદાય માટે ક્વોટા ખત્મ કરવાના પોતાના 5મેના આદેશની સામે કેન્દ્રની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. પછાત વર્ગના રાષ્ટ્રીય આયોગને બંધારણીય દરજ્જો આપવા માટે 2018માં બંધારણમાં 102મા સંશોધનના માધ્યમથી અનુચ્છેદ 324A લગાવવામાં આવ્યું હતું.
પછાત વર્ગની યાદી અંગે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ
સુપ્રીમ કોર્ટે ત્રણ-બેની બહુમતીથી 102મા સુધારાને યોગ્ય ઠેરવ્યુ હતું. બહુમતીવાળા 102મા બંધારણીય સુધારાને યોગ્ય માનવામાં આવ્યો. પરંતુ કોર્ટે કહ્યું કે, રાજ્ય સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ એસઈબીસીની યાદી નક્કી ના કરી શકે. પરંતુ ફક્ત રાષ્ટ્રપતિ આ યાદીને સુચિત કરી શકે છે.