અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા અને તેને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના લક્ષ્ય હેઠળ મોદી સરકાર આવનારા 5 વર્ષોમાં 100 નવા એરપોર્ટ બનાવવા પર વિચાર કરી રહી છે. બ્લૂમબર્ગે સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા છે.
મોદી સરકાર આવનારા 5 વર્ષોમાં 100 નવા એરપોર્ટ બનાવાનું વિચાર રહી છે
પ્રસ્તાવ હેઠળ સરકાર 1000 નવા રુટ્સ શરૂ કરી શકે છે
ચીનમાં પણ એરપોર્ટ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવ હેઠળ સરકાર 1000 નવા રુટ્સ શરૂ કરી શકે છે, જે નાના શહેરો અને ગામડાઓને જોડશે. ગત સપ્તાહે યોજાયેલી એક બેઠકમાં 2025 સુધી જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા કરવામાં આવી છે. નામ ગુપ્ત રાખતા જણાવવામાં આવ્યું કે, દેશમાં પ્લેન લીઝ ફાઇનાન્સિંગ બિઝનેસને લઇને ચર્ચા કરાઇ છે.
નોંધનીય છે કે પીએમ મોદીએ પોતાની સરકાર માટે લક્ષ્ય નિર્ધારિત કરતા 2025 સુધી ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનો દાવો કર્યો છે. જોકે, અર્થતંત્રમાં હાલ મંદીનો માહોલ છે. અને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા તેને ગતિ આપવા માંગે છે. સરકારે ગત મહીને કોર્પોરેટ ટેક્સમાં પણ ઘટાડો કર્યો છે.
બ્લૂમબર્ગની રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે ચીનમાં પણ એરપોર્ટ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. ચીને 2035 સુધી 450 કોમર્શિયલ એરપોર્ટ્સનું લક્ષ્ય રાખ્યું છે. જે 2018ની સંખ્યાની તુલનામાં બેગણી છે. ત્રણ વર્ષ પહેલા સુધી ભારતમાં માત્ર 75 રનવે ફન્કશનલ હતા.