ભારતમાં મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના વાયરસ(કોવિડ-૧૯)ની વેકસીન બનાવવામાં વર્ષથી દોઢ વર્ષનો સમય લાગી શકે છે. આ દરમિયાન કોરોના વાયરસ સામેની લડાઇમાં એક મોટી કામિયાબી મળી છે. અહેવાલો અનુસાર એચઆઇવીના ઇલાજમાં ઉપયોગમાં લેવાતી દવા Lopinavir (લોપિનાવિર) અને Ritonavir (રિટોનાવિર)કોરોનાના દર્દીઓ માટે કારગત સાબિત થઇ રહી છે.
કોરોના વાયરસ માટેની દવા શોધાઈ
HIVની દવા અકસીર ઈલાજ
મોદી સરકારે દવાનું ઉત્પાદન વધારવાના આપ્યા આદેશ
આ અભ્યાસને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સરકારે ફાર્મા કંપનીઓએ આ બંને દવાનું ઉત્પાદન વધારવા આદેશ કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોરા વાયરસસામે કેવી દવાઓનો ઉપયોગ થઇ શકે તે અંગે ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે એક લાંબી બેઠક યોજી હતી. ત્યાર બાદ નિષ્ણાતોની સમિતિએ સિપ્લા, માઇલન, ઓરોબિંદો અને અન્ય કંપનીઓને એન્ટી એચઆઇવી દવાઓનો સ્ટોક વધારવા જણાવ્યું હતું.
લોપિનાવિર અને રિટોનાવિર એન્ટી રેટ્રો વાઇરલ દવા છે. એચઆઇવીને સ્વસ્થ કોશિકાઓમાં પ્રવેશતી રોકે છે. ભારત અત્યારે આ દવાઓની નિકાસ આફ્રિકન દેશોમાં પણ કરે છે. મેડિકલ જર્નલ લાન્સેટના અહેવાલ અનુસાર એન્ટી HIV દવાનો પ્રયોગ હાલ ચીનમાં પણ કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીએ આપી આ સૂચના
વિશ્વ આરોગ્ય સંઘના વડા સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં તેનું ફાઇનલ રિઝલ્ટ આવી જશે. આ દરમિયાન ભારતમાં HIVની આ બંને દવાઓની કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ પર સારી અસર જોવા મળી છે. આથી આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ દવાની કંપનીઓને બંને દવાનું પ્રોડકશન વધારવા જણાવ્યું છે. જોકે તેની નિકાસ પર કોઇ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ઇટાલીથી ભારત આવેલ કોરોનાગ્રસ્ત દંપતીના ઇલાજમાં લોપિનાવિર અને રિટોનાવિરના કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.