કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે. દેશ પર આર્થિક બોજ વધી રહ્યો છે. કોરોનાથી પ્રભાવિત આર્થિક વૃદ્ધિને વધારો આપવા અને વર્તમાન વધેલા ખર્ચને પુરો કરવા માટે સરકારને કેટલાય સૂચનો મળી રહ્યા છે.
કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરું બન્યું
મોદી સરકાર તમારા સોનાનો કરી શકે છે ઉપયોગ
ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના શરૂ કરવામાં આવી છે
આમાંની એક સલાહ વડા પ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના પાર્ટ-ટાઇમ સભ્ય નિલેશ શાહ અને સ્ટેટ બેંક મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય રોકાણ અધિકારી નવનીત મુનોટ દ્વારા આપવામાં આવી છે.
ભારતીયોના બિન હિસાબી સોનાના ઉપયોગની કરી વાત
નીલેશ શાહે ભારતીયોના પાસે ઉપલબ્ધ હિસાબ વગરના સોનાનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે, તેનાથી નવા વ્યય અને રોકાણ માટે 300 અરબ ડોલર સુધી ઉપલબ્ધ થઇ શકે છે.
25,000 ટન સોનું ભારતીયો પાસે છે
તેમણે કહ્યું હતું કે એક અંદાજ મુજબ 25,000 ટન સોનું ભારતીયો પાસે રાખ્યું છે. એક યોજના લાવી શકાય છે જે તેમાંથી ઓછામાં ઓછા દસ ટકા સોનું કાઢી શકે છે. તે ટેક્સ રૂપે 50 બિલિયન ટેક્સ મેળવશે 150 અબજ રોકાણ અને ખર્ચ માટે ઉપલબ્ધ થશે.
શાહે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓના કામની પ્રશંસા
શાહે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓના કામની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમણે ઉત્પાદક કામમાં સોનું મૂક્યું છે પરંતુ તેમનું કાર્ય વધુ વિસ્તૃત કરવાની જરૂર છે. શાહ અને મુનોટ બંનેએ કહ્યું કે રોકડની ઉપલબ્ધતા છે જે શેર બજારમાં હાલની તેજીનું કારણ છે.
ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના' શરૂ કરવામાં આવી
આપને જણાવી દઈએ કે, 2015 માં કેન્દ્ર સરકાર દ્વારા 'ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના' શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મકાનમાં પડેલું સોનું જમા કરાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ ઓછા વળતર અને સુરક્ષાની ચિંતાને કારણે યોજનાને સારો પ્રતિસાદ મળ્યો નથી.
યોજના હેઠળ, બેંક ગ્રાહકોને નિયત સમયગાળા માટે સોનું જમા કરવાની મંજૂરી આપે છે. આ પર વ્યાજ 2.25 ટકાથી લઈને 2.50 ટકા સુધીની છે. યોજના હેઠળ 995 શુદ્ધ સોનાના ઓછામાં ઓછા 30 ગ્રામ બેંકમાં રાખવાના રહેશે. આમાં, બેંકો સોનાના બાર, સિક્કા, દાગીના (પત્થરો અને અન્ય ધાતુ વગર) સ્વીકારશે.