ખેડૂતો સાથે જોડાયેલા બિલ પર બબાલ વચ્ચે કેન્દ્ર સરકાર આજે ન્યૂનતમ સમર્થન મૂલ્ય(SSP) પર મોટું એલાન કરી શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે મોદી કેબિનેટમાં રવી પાક માટે SSPનું એલાન થઇ શકે છે. SSPને લઇને વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે પૂર્વી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ખેડૂતો દેખાવો કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર આજે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કરી શકે મોટું એલાન
ફિક્સ ન કરવાથી ખેડૂતો નારાજ હોવાનું આવ્યું સામે
નોંધનીય છે કે, કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલ 2 બીલમાં SSPને ફિક્સ ન કરવાથી ખેડૂતો નારાજ છે. જો કે, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મેં દેશના તમામ ખેડૂતોને એ વાતનો ભરોસો આપું છું કે, MSPની વ્યવસ્થા જેવી રીતે પહેલા ચાલી રહી હતી તેવી જ રીતે ચાલતી રહેશે. દરેક સીઝનમાં સરકારી ખરીદ માટે જે રીતે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જ રીતે પહેલા જ ચાલતા રહેશે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર સિંહ તોમરે રવિવારે રાજ્યમાં જણાવ્યું હતું કે, વર્ષ 2009-14ની તુલનામાં છેલ્લા 5 વર્ષમાં કઠોળના પાક માટે ખેડૂતોએ MSP ચુકવણી 75 ટકા વધી છે. ગત 5 વર્ષમાં 645 કરોડ રૂપિયાના મુકાબલે 49000 રૂપિયા MSP ચુકવણી કરવામાં આવી છે.
કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં 2460 કરોડ રૂપિયાના મુકાબલે 25000 કરોડ રૂપિયા MSP ચુકવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે રવી-2020માં ઘઉં, ડાંગર, કઠોળ અને તેલીબિયાંને ભેળવીને ખેડૂતોને 1 લાખ 13 હજાર કરોડ રૂપિયા MSPના રૂપે ચુકવણી કરાયા છે.