મંત્રી પ્રહલાદ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર રાષ્ટ્રીય ધ્વજને ખોટી રીતે લગાવીને તેનું અપમાન કરવાનો આરોપ લાગ્યો છે.
કેજરીવાલની પ્રેસમાં ત્રિરંગાને લઈને સર્જાયો વિવાદ
પ્રહલાદ પટેલે પત્ર લખીને ત્રિરંગાને ખોટી રીતે લગાવવા પર કર્યા સવાલ
મોદી સરકારના મંત્રીએ CM કેજરીવાલ પર લગાવ્યો ગંભીર આરોપ
સંસ્કૃતિ અને પર્યટન મંત્રી પ્રહલાદ પટેલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Kejriwal) અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખ્યો છે. પ્રહલાદ પટેલે કેજરીવાલને પ્રેસ કોન્ફરન્સ સમયે રાષ્ટ્રીય ધ્વજને ખોટી રીતે લગાવવાને લઈને સવાલ કર્યા છે.
પહેલા પણ ઘણા વિષયો પર આમને સામને આવી ગયા છે કેન્દ્ર અને દિલ્હી સરકાર
મહત્વનું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અવરવિંદ કેજરીવાલ જેટલી વખત પ્રેસકોન્ફરન્સ સંબોધિત કરે છે. તેમની પાછળ ત્રિરંગો લગાવવામાં આવે છે. આ ત્રિરંગો યોગ્ય રીતે લગાવવાની માંગ ઉઠી છે. તેને નિયમ પ્રમાણે ન લાગાવવાને લઈને વિવાદ થયો છે. પહેલા પણ દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ચુકી છે. પહેલા ઓક્સિજનને લઈને તો હવે વેક્સિનને લઈને કેજરીવાલે કેન્દ્ર પર હુમલો બોલ્યો છે. કેજરીવાલનો આરોપ છે કે કેન્દ્ર સરકાર વેક્સિનની સપ્લાય નથી કરી રહી.
બેકગ્રાઉન્ડમાં લગાવવામાં આવેલો ત્રિરંગો યોગ્ય નહીં
પ્રહલાદ પટેલ દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ વખતે બેકગ્રાઉન્ડમાં જે ત્રિરંગો લગાવવામાં આવ્યો છે જે ત્રિરંગો બરાબર રીતે ન હતો. આ ભુલને તરત જ સુધારી દેવામાં આવે.
ત્રિરંગાનું અપમાન કરી રહ્યા છે દિલ્હીના સીએમ
સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે, "અરવિંદ કેજરીવાલ બેકગ્રાઉન્ડમાં જે રીતે બેકગ્રાઉન્ડમાં લીલા કરલને દર્શાવે છે, એવું લાગી રહ્યું છે કે સફેદ ભાગને ઓછો કરી તેને લીલા રંગને જોડી દીધો છે. આ રાષ્ટ્રીય ધ્વજ સંહિતાનું ઉલ્લંધન છે. દિલ્હીના મુખ્ય મંત્રી ભારતીય ત્રિરંગાનું અપમાન કરી રહ્યા છે. "
સજાવવા માટે લગાવવામાં આવ્યો હતો રાષ્ટ્ર ધ્વજ?
પત્રમાં પ્રહલાદ પટેલે લખ્યું કે, "દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જ્યારે ટીવી ચેનલ પર સંબોધન કર્યું તો તેમની ખુરશીની પાછળ લગાવવામાં આવેલા રાષ્ટ્રીય ધ્વજ પર ધ્યાન જાય છે. તેને સજાવડ માટે જ લગાવવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. "