સરકારી સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આ વર્ષે બજેટમાં એસ્ટેટ ડ્યૂટી અથવા ઇન્હેરિટેન્સ ટેક્સ ફરી લગાવી શકે છે. વિપક્ષ તેના પર વિરોધ દર્શાવી રહ્યો છે જ્યારે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે તેના કારણે સામાજિક વિષમતા ઘટશે. હાલ સરકાર સામે પૈસા મેળવવા સૌથી મોટો પડકાર છે.
સોમવારે આવેલા આંકડા બતાવી રહ્યા છે કે બે મહીનામાં જીએસટી કલેક્શન સરેરાશ લગભગ 14,000 કરોડ ઓછું થઇ ગયું છે. નાણા મંત્રાલયે આપેલી જાણકારી મુજબ, એપ્રિલ 2019માં કુલ GSt કલેક્શન 1,13,865 કરોડ હતું જે મે 2019માં 1,00,289 થઇ ગયું છે. જુન 2019માં તે ઘટીને 99,939 કરોડ રૂપિયા રહી ગયું છે. હવે સમાચાર મળી રહ્યા છે કે નવા રોકાણ માટે જરૂરી સંશાધન મેળવવા માટે રસ્તો શોધી રહેલી સરકાર એસ્ટેટ ડ્યૂટી અને ઇન્હેરિટેન્સ ટેક્સ ફરી લાવવાનો વિચાર કરી રહી છે.
આપને જણાવીએ કે, આ ટેક્સ પૈતૃક સંપત્તિ પર લેવામાં આવતો હોય છે. તેને વર્ષ 1985માં ખતમ કરી દેવાયો હતો. આ મુદ્દે પર વડાપ્રધાનની અધ્યક્ષતા વાલી નીતિ આયોગે જમીન મામલોના અધ્યક્ષનું કહેવું હતું કે ભારતમાં હાલ 1 ટકા લોકો 58 ટકા સંપત્તિ પર નિયંત્રણ ધરાવે છે. એવા લોકો પર ઇન્હેરિટેન્સ ટેક્સ લગાવવો જોઇએ. ભારતમાં ટેક્સ-જીડીપી અનુપાત ઓછો છે, તેને વધારવો જરૂરી છે. તેથી ભારતમાં સામાજિક અસમાનતા ઘટાડવામાં મદદ મળશે.
કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાનું કહેવું છે કે 34 વર્ષ બાદ આ ટેક્સને ફરી લાગૂ કરવો ખોટો રહેશે. તે મોદી સરકારને મળેલ બહુમતનું અપમાન કરવા અને લોકોનો વિશ્વાસ તોડવા સમાન વાત કહેવાશે.